પીએમ મોદી આજે અસમ અને પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે ત્યારે અસમમાં પીએમ મોદીએ વિદેશી ષડયંત્ર મામલે મોટું નિવેદન આપ્યું હતું.
દેશને બદનામ કરવા માટે ષડયંત્ર : મોદી
ભારતની ચાને પણ ન છોડી : પીએમ મોદી
અસમની ધરતીથી પીએમ મોદીની ચેતવણી
પીએમ મોદીએ આપ્યું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અસમની ધરતીથી વિદેશી તાકતોને ચેતવણી આપી છે અને કહ્યું કે આજે દેશને બદનામ કરવા માટે ષડયંત્ર કરનાર તે સ્તરે પહોંચી ગયા કે હવે તે ચાને પણ નથી છોડતા. કેટલાક દસ્તાવેજ સામે આવ્યા છે જેમાં ખુલાસો થયો છે કે વિદેશમાં બેઠેલી તાકતો ચા સાથે ભારતની જે ઓળખાણ છે તેના પર હુમલો કરવાની ફિરાકમાં છે.
ચાને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું પીએમ મોદીએ કહ્યું
ભારત વિરુદ્ધ કાવતરું ઘડનારાઓને ચેતવણી આપતા પીએમ મોદીએ કહ્યું કે હું અસમની ધરતીથી ષડયંત્રકારીઓને કહેવા માંગુ છું કે તમારે જેટલા કાવતરા કરવા હોય કરી લો. આ દેશ તમારા મનસૂબાને કામયાબ થવા નહીં દે. ભારતની ચા પર હુમલાઓમા એટલી તાકાત નથી કે તે ચાના બગીચામાં કામ કરનારા લોકોની મહેતનનો મુકાબલો કરી શકે. તેમણે કહ્યું કે ભારતની ચાની છવિને દુનિયામાં બદનામ કરવા માટે આ લોકો કામે લાગ્યા છે.
#WATCH | People who are conspiring to defame India have stooped so low that they're not sparing even Indian tea... Some documents have come up revealing that some foreign powers are planning to attack India's identity associated with tea. Will you accept this attack?: PM in Assam pic.twitter.com/6BCOBIn1ET
પીએમ મોદીએ આજે અસમની જનતાને વાયદો કર્યો કે અસમમાં એક મેડિકલ કોલેજની શરૂઆત સ્થાનિક ભાષામાં જ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મારુ સપનું છે કે દરેક રાજ્યમાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ માતૃભાષામાં શરૂ કરવામાં આવે. જ્યારે અસમમાં નવી સરકાર બનશે ત્યારે વાયદો કરું છું કે અસમમાં એક મેડિકલ કોલેજ સ્થાનિક ભાષામાં શરૂ કરીશું.
પીએમ મોદીએ વધુમાં કહ્યું એક ગુવાહાટીમાં એમ્સનું કામ ખૂબ તેજીથી કરવામાં આવી રહ્યું છે. પાછલી સરકારો સમજી જ ન શકી કે એમ્સના લીધે લોકોને કેટલો ફાયદો થશે. સરકાર અસમના વિકાસ માટે પૂરી નિષ્ઠાથી કામ કરી રહી છે અને હવે અસમમાં સવા કરોડ લોકો આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવી રહ્યા છે.