`ચોકીદાર' આ શબ્દ આજ કાલ ખૂબ ચર્ચામાં છે. આ શબ્દ પર 2019ની લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે. ચોકીદાર શબ્દ પર ભલે ઘણી રાજકીય પાર્ટીઓને વિશ્વાસ ન હોય પરંતુ આપણા રાજ્યનાં એક ગામમાં ચોકીદાર શબ્દ પર લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. અહીં આપણે રાજકારણની વાત નથી કરી રહ્યાં. આપણે વાત કરી રહ્યાં છે એ એક મંદિરની કે જેને લાખો લોકો ચોકીદાર મંદિરથી ઓળખે છે. તો ક્યાં આવેલું છે આ ચોકીદારનું મંદિર અને આ મંદિર સાથે કેવી જોડાયેલી છે લોકોની આસ્થા.