બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ને મહારાષ્ટ્ર સરકારની કાર્યવાહી સામે દેશભરમાં સમર્થન મળી રહ્યું છે. ત્યારે જમશેદપુરમાં કરણી સેનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે વિરોધ નોંધાવ્યો છે.
કંગના રનૌત અને શિવસેનાના વિવાદ વચ્ચે હાલ કંગનાને મળી રહ્યું છે લોકસમર્થન
ઝારખંડના જમશેદપુરમાં કરણીસેના દ્વારા શિવસેના અને ઉદ્ધવ ઠાકરેનો કરાયો વિરોધ
કંગના સમર્થકોઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું પૂતળું બાળયુ અને પીએમ મોદી પાસે કરી આ માંગણી
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ની મુંબઇ ઓફિસમાં મહારાષ્ટ્ર સરકાર અને BMC ની કાર્યવાહી બાદ સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ઝારખંડના જમશેદપુરમાં કંગનાના સમર્થનમાં ઘણા લોકો રસ્તા પર ઉતર્યા હતા. આ સમય દરમિયાન, જમશેદપુરમાં કરણી સેનાના લોકોએ અભિનેત્રીના સમર્થનમાં સાકળી ગોલચક્કર પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પૂતળાંનું દહન કરીને મહારાષ્ટ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
આ સિવાય કરણી સેનાએ કહ્યું કે, આગામી થોડા દિવસોમાં મોટી સંખ્યામાં લોકો મહારાષ્ટ્ર વિરોધ પ્રદર્શન કરવા માટે જશે.
કંગના સમર્થકોએ આ વાત કહી હતી
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પૂતળા દહન બાદ કરણી સેનાએ સૂત્રોચ્ચાર કર્યા હતા. વળી એમ પણ કહ્યું કે કંગના રનૌતે પહેલા બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં મામલામાં CBI તપાસની માંગ કરી હતી. જેને લઈને હવે મહારાષ્ટ્ર સરકાર કંગના રનૌત સામે પોતાનો રોષ બતાવી રહી છે. અલબત્ત, મહારાષ્ટ્રમાં કંગનાની ઓફિસ પર BMC દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ દેશભરમાં તેના સમર્થકો વિરોધ કરી રહ્યા છે અને તેની અસર જમશેદપુરમાં પણ જોવા મળી રહી છે.
ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રીએ કંગનાને ટેકો આપ્યો હતો
જમશેદપુર પૂર્વી ધારાસભ્ય સરયુ રાયે પણ કંગના રનૌત ને સમર્થન આપતાં કહ્યું કે તેમની તોડવાની રીતે સાબિત કરી દીધું કે મુંબઈમાં જંગલરાજ છે. મહારાષ્ટ્ર સરકારમાં મવાલીઓ અને માફિયાઓની બોલબાલા છે. બંધારણ અને કાયદાનું શાસન જ સમાપ્ત થઈ ગયું છે. નાગરિકોના જીવન અને સંપત્તિની કોઈ સુરક્ષા નથી. આ ઉપરાંત ધારાસભ્યએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે.
આ ઉપરાંત ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસે પણ કંગનાને સમર્થન આપતાં કહ્યું હતું કે લોકશાહીની હત્યા કરવાનો કોઈપણ સરકારનો પ્રયાસ નિંદાત્મક છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં મહારાષ્ટ્ર સરકાર આલોચના કરવા વાળા સામે બદલો લેવાની કાર્યવાહી કરી રહી છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર ગમે તેટલી સખત કોશિશ કરે, સુશાંતસિંહ રાજપૂતને ન્યાય મળીને રહેશે.