ભારતીય રસોડામાં જો કોઈ સ્પેશિયલ ડીશ બનાવવી હોય તો તેમાં પનીરનું નામ સૌથી પહેલા આવે છે. ખાસ કરીને શાકાહારી લોકો પોતાના ડાયટમાં પનીરને ફરજીયાત સામેલ કરે છે. પનીર ખાવામાં સ્વાદીષ્ટ અને આરોગ્ય માટે પણ ગુણકારી છે. જેમાં વિટામિન, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જેને કારણે શરીરને ઘણા બધા ફાયદા થાય છે.
ભારતીય રસોડામાં સ્પેશિયલ ડીશ તરીકે પનીરનું નામ પ્રથમ
શાકાહારી લોકો પોતાના ડાયટમાં પનીરને ફરજીયાત કરે છે સામેલ
પનીરનું વધુ પડતુ સેવન તમારા આરોગ્યને નુકસાન પહોંચાડશે
પનીર મેટાબૉલિઝમને મજબૂત બનાવવાની સાથે-સાથે દાંત, હાર્ટ, કિડની, ફેફસા વગેરેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પનીરનું વધુ સેવન તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે? આવો જાણીએ કયા-કયા લોકોએ પનીરનું વધુ સેવન ના કરવુ જોઈએ.
આ લોકોએ પનીરથી દૂર રહેવુ
પેટમાં ઈન્ફેક્શન
જો તમને પેટમાં ઈન્ફેક્શન થાય છે તો તમારે પનીરનું સેવન ઓછુ કરવુ જોઈએ. આ સિવાય જેને પેટની મુશ્કેલી વધુ રહેતી હોય તેમણે ક્યારેય પણ પનીરનું સેવન ના કરવુ જોઈએ. પનીરનુ સેવન કરવાથી પેટમાં ઈન્ફેક્શન થવાનુ જોખમ રહેલુ છે.
હાર્ટના દર્દી
જો તમે હાર્ટની સમસ્યાથી પીડિત છો તો તમારે પનીરનું વધુ સેવન કરવાથી દૂર રહેવુ જોઈએ. કારણકે પનીરમાં વધુ માત્રામાં ફેટ જોવા મળે છે. જેના કારણે પનીર વધુ ખાવાથી કોલેસ્ટ્રોલની માત્રા વધી શકે છે. જેનાથી તમને હાર્ટ સંબંધી બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. આવા લોકો ઈચ્છે તો લો ફેટ પનીર અથવા ટોફૂનુ સેવન કરી શકે છે.
હાઈ બ્લડ પ્રેશર
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને વધુ પનીર ખાવાથી દૂર રહેવુ જોઈએ. ખરેખર, પનીરમાં સોડિયમની માત્રા વધુ હોય છે. તેથી તેનુ વધુ પડતુ સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે.
પથરી
પથરીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. કારણકે આ દૂધમાંથી બને છે. જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ કેલ્શિયમનું વધુ સેવન કરવાથી પથરી થવાનુ જોખમ રહેલુ છે. તેથી જો તમે પથરીથી પીડિત છો અથવા ફરી હાલમાં પથરીનું ઓપરેશન થયુ છે તો પનીરનુ વધુ પડતુ સેવન ના કરશો.
માઇગ્રેન
માઇગ્રેનની સમસ્યામાં વધુ પનીર ના ખાવુ જોઈએ. તેના વધુ પડતા સેવનથી માઇગ્રેનની સમસ્યા વધી શકે છે. ડૉકટર પણ માઇગ્રેનના દર્દીઓને ચીજ, પનીર અને બટર જેવી ચીજ વસ્તુઓ ઓછુ ખાવાની સલાહ આપે છે.