સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે ખુબજ ઓછો વરસાદ પડતા જિલ્લાના અનેક તાલુકાની હાલત કફોડી બની છે. તેમજ ભર ઉનાળે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સાયલા તાલુકાના સાયલા ગામમાં તંત્ર દ્વારા પંદર દિવસે એક વાર પાણી આપવામાં આવતા ગામની મહિલાઓ સહીત પશુપાલકોને ભારે હાલાકી પડી રહી છે અને નિયમિત પાણી આપવાની માંગ ઉઠવા પામી છે.