નરેન્દ્ર મોદી આજે બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પીએમ મોદીના કાર્યક્રમને નિહાળવા માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. આ કાર્યક્રમ જોવા માટે ગ્રામજનો દ્વારા LED સ્ક્રીન લગાવવામાં આવી છે. સાથે જ માતાજીના ગરબાનુ પણ આયોજન કરવામાં આવ્યુ.