એક તરફ દેશભરમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત,વડોદરા, અમદાવાદ,રાજકોટ સહિતના મેગા શહેરોમાં વેપારીઓને કોઇ ધંધો ના થવાથી ભારે મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ કેટલાય ધંધાઓ મંદીના મારને લીધે પડી ભાંગ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 3, 2019
ઉલ્લેખનીય છે કે, ધંધામાં ભારે મંદી અને એક તરફ મેળાની મોસમ ચાલું થઇ છે, મોટાભાગના લોકો શ્રાવણ મહિનો આવતા પોત-પોતાના વતનમાં જઇ રહ્યાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં ઘરની બહાર ખાસ નોંધ લખવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ તસવીર
એક વેપારીએ પોતાના ઘરની બહાર ખાસ નોંધ લખી છે અને ઘરને તાળુ માર્યુ છે. તેણે આ નોંધમાં ઉલ્લેખ કર્યો છે કે, સાતમ આઠમ કરવા ગયેલ છીએ, મંદીને કારણે ઘરમાં ફૂટી કોડી પણ નથી. માટે, ચોર ભાઇઓને ખોટી ખાંખાખોરી ન કરવા વિનંતી.