ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચનો વિવાદ શમી નથી રહ્યો. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચ ફક્ત બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી.
ઈંગ્લેન્ડ પાસે કોઈ સ્કિલફુલ પ્લેયર નહોતો
ઈંગ્લેન્ડનાં પ્લેયર્સ માનસિક રીતે કમજોર થઈ ગયા હતા
મેચની પીચ છેલ્લી કક્ષાની હતી
ત્રીજી ટેસ્ટ વિવાદોમાં સપડાઈ
ભારતે જે મેચ 10 વિકેટથી જીતી લીધીને સિરીઝમાં 2-1થી સરસાઈ કરી લીધી છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ વિવાદોમાં સપડાઈ છે. તે મેચની પીચને લઈ હવે ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પીચને છેલ્લા દરની પીચ ગણાવી છે.
લોકો સારી ક્રિકેટ જોવા માટે પૈસા આપે છે
દિલીપ વેંગસરકરે કહ્યુ કે, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે અમદાવાદની પીચ છેલ્લા દરની હતી. જે ટેસ્ટ ક્રિકેટ માટે ખૂબ ખરાબ ઉદાહરણ છે. લોકો સારી ક્રિકેટ જોવા માટે પૈસા આપે છે. બંને ટીમો પાસે સારા ખેલાડીઓ હતા. પણ જો ઈંગ્લેન્ડનો કેપ્ટન રુટ બોલર બની જાય તો તે દર્શાવે છે કે પીચમાં કંઈક તો ખરાબી હતી.
ઘણાં બેટ્સમેન સીધી બોલ પર આઉટ થયા
ઈંગ્લેન્ડ પાસે ના તો કોઈ સ્કિલફુલ પ્લેયર હતા અને ના તેમણે લડવાની ક્ષમતા દર્શાવી. ઘણાં બેટ્સમેન સીધી બોલ પર આઉટ થયા જેમાં જરા પણ ટર્ન નહોતો. તેમની ડિફેન્સિવ સ્ટ્રેટેજી ખૂબ ખરાબ હતી. તેમની પાસે કોઈ સમજ નહોતી કે આવી પીચો પર કેવી રીતે રમાય. તેમને ખ્યાલ નહોતો આવી રહ્યો કે ફ્રન્ટફૂટ પર જઈને રમાય કે બેકફૂટ પર જઈને. તેઓ માનસિક રીતે ખૂબ કમજોર બની ગયા હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચોની સિરીઝની છેલ્લી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે.