દરેક વ્યક્તિને જરૂરિયાત અનુસાર પોષક તત્વ મળવા જરૂરી છે. વધતી ઉંમર સાથે શારીરિક ગતિવિધિઓ અને આદતોમાં ફેરફાર આવે છે, તથા રોગ પ્રતિકારક શક્તિ, માંસપેશીઓ અને મેટાબોલિઝમ પણ નબળા થવા લાગે છે.
50થી વધુની ઉંમરના લોકો ડાયેટમાં સામેલ કરો આ ચીજો
ફળ અને શાકભાજીમાં પણ સિલેક્ટેડ ખાઓ
રોજના ભોજનમાં ઉમેરો આ ખોરાક અને રહો હેલ્ધી
જો તમારી ઉંમર 50 વર્ષ કે તેની આસપાસની છે, તો તમારે તે જાણવું જરૂરી છે કે તમારે તમારા આહારમાં શું ઉમેરવું જોઇએ. અહીં એ દરેક બાબતો દર્શાવવામાં આવી છે.
ફળ તથા શાકભાજી
તમારે તમારા આહારમાં તાજા ફળો અને લીલાં શાકભાજી ઉમેરવા જરૂરી છે. જે તમારા શરીરને તમામ જરૂરી પોષક તત્વ પ્રદાન ઘરે છે. આમળા, સંતરા અને સ્ટ્રોબેરીમાં વિટામીન સી, કેળામાં મેગ્નેશિયમ, ટામેટામાં લાઈકોપિન તથા પાલકમાં આયર્ન જેવાં પોષક તત્વો ભરપૂર છે. સાબૂત અનાજ
તમારે આહારમાં મગ, ચણા અને સોયાબીનના સ્પ્રાઉટ્સનું સેવન કરવું જોઈએ. બ્રાઉન રાઈસ, બાજરી, દાલ અને ઘઉંને આહાર પ્રણાલીમાં સ્થાન આપવું જોઈએ. આ તમામ અનાજમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જેનાથી પાચન તંત્ર સારી રીતે કાર્ય કરી શકે છે.
દૂધ-દહીં
તમારા ભોજનમાં દૂધ, દહીં, મઠો, સોયામિલ્કને ઉમેરવાની જરૂરિયાત છે, જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક તથા વિટામિન ડીની માત્રા ભરપૂર છે. આ ઉંમરે હાડકાં નબળાં પડે છે, જેનાથી તે તૂટવાનો ભય રહે છે. ડ્રાયફ્રૂટ અને નટ્સ
ડ્રાયફ્રૂટ અને નટ્સને તમારા ભોજનમાં ઉમેરવાં જોઈએ. જેનાથી તમને પોષણની સાથે સાથે ડિમેંશિયા તથા અલ્જાઈમર જેવી બીમારીઓનો ભય પણ ઓછો રહે છે.
ઈંડાં
ઈંડાંમાં મહત્તમ માત્રામાં પ્રોટીન, વિટામિન ડી હોય છે. ઈંડાં વિટામિન બી ૧૨નો ઉત્તમ સ્ત્રોત છે. જેનાથી તમારી સ્મરણ શક્તિમાં વૃદ્ધિ થાય છે. આહારમાં ઉમેરવા લાયક અન્ય વસ્તુઓ
માંસપેશીઓના લચીલાપણાને ટકાવી રાખવા માટે નારિયેળ પાણી, લીંબુ, જીરું, અજમો, મેથીના દાણા, બદામ, અખરોટ, ડુંગળી, આદું, લસણને પણ તમારા આહારમાં ઉમેરવાં જોઈએ. વધુ માત્રામાં પાણી પીવો
પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે તથા ભોજનના પાચનમાં સહાય કરે છે. જેના કારણે સેલ્સ સ્વસ્થ રહે છે.