કર્મો અનુસાર ફળ આપનારા દેવ એટલે શનિદેવ. આ રાશિના જાતકોને શનિની બાજ નજરમાંથી મળશે મુક્તિ
શનિદેવનું થશે રાશિ પરિવર્તન
12 જુલાઇથી વક્રી અવસ્થામાં કરશે પરિવર્તન
6 મહિના સુધી કેટલીક રાશિના જાતકોને ફાયદો
દર મહિને કોઈને કોઇ ગ્રહ તેની વર્તમાન રાશિમાંથી બહાર નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહોના સ્થાન બદલાવાથી તમામ રાશિઓ પર અસર થાય છે. આ વખતે જુલાઇ મહિનામાં 5 મોટા ગ્રહો રાશિ બદલીને પાછા ફરવાના છે. તેમાં સૌથી ધીમી ગતિએ ચાલતા ગ્રહ શનિનો પણ સમાવેશ થાય છે.
વક્રી અવસ્થામાં શનિદેવ કરશે રાશિ પરિવર્તન
શનિ 12મી જુલાઈના રોજ મકર રાશિમાં વક્રી સ્થિતિમાં પ્રવેશ કરશે અને 17મી જાન્યુઆરી 2023 સુધી આ સ્થિતિમાં રહેશે. શનિને ન્યાયના દેવતા અને કર્મના દાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિની કઠોર શિક્ષાને કારણે દરેક વ્યક્તિ શનિની ખરાબ અસરથી ડરે છે. શનિ વક્રી થવાથી કેટલીક રાશિઓને 6 મહિના સુધી શનિના પ્રકોપથી રાહત મળશે.
આ રાશિના જાતકો શનિના પ્રકોપથી મુક્તિ મળશે
શનિ મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો શનિ ઢૈયાથી મુક્ત થઈ જશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિના લોકોને શનિની સાડાસાતથી મુક્તિ મળશે. આ ત્રણ રાશિઓ 6 મહિના સુધી શનિના પ્રકોપથી મુક્ત રહેશે. 17 જાન્યુઆરી, 2023 થી આ રાશિના જાતકોને ફરીથી શનિના પ્રકોપનો સામનો કરવો પડશે.
આ રાશિઓ પર શનિની દશા
શનિ મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ મિથુન અને તુલા રાશિના લોકો પર શનિ ઢૈયા શરૂ થઈ જશે. જ્યારે ધન રાશિના લોકો શનિની સાડા સાતીના પકડમાં રહેશે. આ ત્રણ રાશિઓ 6 મહિના સુધી જ શનિની પકડમાં રહેશે. કારણ કે 17 જાન્યુઆરી, 2023ના રોજ શનિ ફરી પોતાના સ્થાન પર આવશે. અને જે રાશિના જાતકો શનિની દશામાંથી મુક્ત થયા છે તેઓ ફરીથી શનિના પ્રકોપમાં આવશે.
આ દરમિયાન કરો આ ઉપાય
શનિના પ્રકોપનો સામનો કરી રહેલા અને શનિના પ્રકોપથી મુક્ત થયેલા તમામ લોકો જો શનિના આ ઉપાયો કરતા રહે તો તેમના પર શનિની અસર ઓછી થશે. તેથી આ સમય દરમિયાન શનિના મંત્રોનો જાપ કરો.
શનિવારે શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો.
શનિદેવની ખરાબ અસરને ઓછી કરવા માટે જરૂરિયાતમંદોને દાન કરો.
શનિવારના દિવસે છાયાદાનનું પણ વિશેષ મહત્વ છે.
શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું પણ લાભદાયક છે.
શનિવારે સાંજે પીપળના ઝાડની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો.