કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોનાના અલગ અલગ લક્ષણો દેખાઇ રહ્યાં છે ત્યારે લોકોમાં ચર્ચા થઇ રહી છે કે ઓ પોઝીટીવ બ્લડગ્રુપ ધરાવનાર વ્યક્તિને કોરોના નથી થતો.
કોરોના પર મોટા સવાલ
ઓ પોઝીટીવ બ્લડગ્રુપ હોય તો નથી થતો કોરોના ?
સિવિલના સુપ્રિડેન્ટન્ટે પાડ્યો પ્રકાશ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડીશનલ સુપ્રિડેન્ટન્ટ રજનીશ પટેલે કહ્યું કે તે ઓ પોઝીટીવ છે અને છેલ્લા 400 દિવસથી સતત કોરોના પોઝીટીવ દર્દીઓનો ઇલાજ કરી રહ્યાં છે અને અત્યાર સુધી તે સંક્રમિત નથી થયા.
તેમણે કહ્યું કે, લોકો એવી ધારણામાં જીવે છે કે તે ઓ નેગેટીવ છે એટલે તેમને કોરોના નહી થાય પરંતુ આવુ કોઇ અધ્યયન નથી થયુ કે ઓ પોઝીટીવ બ્લડ ગ્રુપ હોવાને કારણે તેમને કોરોના નથી થતો. કોરોના સામે લડવા માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ ખુબ જરૂરી છે. હવે કોરોનાની વેક્સિન પણ આવી ગઇ છે લોકોએ તે પણ લઇ લેવી જોઇએ.
નીતિન પટેલની બેઠક
વડોદરા સર્કિટ હાઉસમાં નીતિન પટેલ રાજ્યમાં ચાલી રહેલી કોરોનાની મહામારી અને વધી રહેલા કેસ તેમજ સ્ટ્રેનને લઈને મહત્વની બેઠક કરી રહ્યા હતા. 4 કલાકની મેરેથોન સમીક્ષા બેઠક બાદ નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજીને મહત્વની વાતો જણાવી હતી.
4 કલાક ચાલી મેરેથોન સમીક્ષા બેઠક બાદ પત્રકારોને નીતિન પટેલે જણાવ્યું હતુ કે, કોરોનાના દર્દીઓ એક સમયે ઓછા થઇ ગયા હતા. હાલમાં સમગ્ર દેશમાં એક સાથે કોરોના પીકની શરૂઆત થઇ ગઈ છે. ગુજરાતમાં પણ કેસમાં ખૂબ વધારો થયો છે. ખાસ કરીને મહાનગરોમાં વધારે કેસ આવે છે. કેમકે આ શહેરમાં ગીચ વસ્તી હોવાથી સંક્રમણ વધુ થાય છે. 10 દિવસથી કોરોના દર્દીમાં વધારો થયો છે
દરેક જિલ્લામાંથી રાજ્ય સરકાર માહિતી મેળવે છે
નીતિન પટેલે જણાવ્યું હતુ કે, દરેક જિલ્લામાંથી રાજ્ય સરકાર માહિતી મેળવે છે. ચાલુ વિધાનસભામાં પણ કોર ગ્રુપની બેઠક મળતી હતી. 700 થી ઓછા કેસો થી 2200- 2300 સુધી કેસો પહોંચ્યા છે. વડોદરામાં પણ કેસમાં સતત વધારો થયો છે. દર્દીઓની સારવાર ઝડપથી થાય તેવું આયોજન ચાલુ છે. આજે બેઠકમાં વડોદરાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તમામ ઝોન અને વોર્ડની સ્થિતિ અંગે ચર્ચા કરાઇ છે. હોસ્પિટલમાં વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરાઇ છે. ચર્ચા બાદ કેટલાક મહત્વના નિર્ણય લીધા છે.
અતિથિ ગૃહમાં પણ દર્દીઓ આઇસોલેટ કરી શકાશે
વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતુ કે, આવતીકાલથી નવા નિર્ણયનો અમલ કરાશે. ધન્વંતરી રથ દ્વારા ટેસ્ટિંગ કરાશે. 200 ટીમ દ્વારા વિવિધ ઝોનમાં ટેસ્ટિંગ કરાશે. રેપિડ ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ કરાશે. દરેક વિધાનસભા દીઠ 2 કેમ્પ ગોઠવાશે, અતિથિ ગૃહમાં પણ દર્દીઓ આઇસોલેટ કરી શકાશે.