ખરાબ જીવનશૌલી, તણાવ, ચિંતા અને અન્ય કારણોના કારણે મોટી બિમારીઓ ઉભી થાય છે.
આ કારણે વધે છે બ્લડ પ્રેશરનો ખતરો
આ બ્લડ ગ્રુપના લોકોને વધારે છે હાર્ટ એટેકનો ખતરો
જાણો શું કહે છે સ્ટડી
હૃદય સાથે જોડાયેલી બિમારી એક ગંભીર સમસ્યા છે. તે ઘણા લોકોને પ્રભાવિત કરે છે. તેના ઘણા કારણ હોય છે. ખરાબ જીવનશૌલી, તણાવ, ચિંતા અને અન્ય કારણોના કારણે આ બિમારીઓ ઉભી થાય છે. WHOના અનુસાર, હૃદય રોગ દુનિયાભરમાં મોતનું એક પ્રમુખ કારણ છે. એવામાં એવું માનવું જરૂરી છે કે કયા લોકોને આ બિમારીથી વધારે સચેત રહેવાની જરૂર છે. એક સ્ટડી અનુસાર જો તમે નોન- O બ્લડ ટાઈપ છો. તો તમારે વધા સાવધાન રહેવાની જરૂર છે.
નોન- O બ્લડ વાળા લોકોને અન્યના મુકાબલે વધારે ખતરો હોય છે.
અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA)માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નોન-O બ્લડ ટાઈપના લોકોમાં હાર્ટના એટેક આવવાનો ખતરો વધારે હોય છે. લોહીનો પ્રકાર હાર્ટ એટેકને કઈ રીતે વધારી શકે છે. તેને લઈને રિસર્ચર્સે સ્ટડી કરી હતી. સ્ટડીમાં લગભગ 4 લાખથી વધારે લોકો પર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું કે બ્લડ ટાઈપ A અથવા B વાળા લોકોમાં O બ્લડ ગ્રુપ વાળાની અપેક્ષા હાર્ટ એટેક આવવાના રિસ્ક 8% વધારે હોય છે.
B બ્લડ ગ્રુપ વાળા લોકોમાં સૌથી વધારે ખતરો
રિસર્ચર્સે નોન-O બ્લડ ટાઈપમાં A અને Bની પણ એક બીજા સાથે સરખામણી કરી અને ત્યાર બાદ જાણકારી મળી કે B ગ્રુપ વાળા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધારે હોય છે. જ્યારે રિસર્ચના અનુસાર B બ્લડ ગ્રુપ વાળા લોકોમાં O ગ્રુપ વાળા લોકોના મુકાબલે માયોકાર્ડિયલ ઈન્ફાર્કશન (Heart Attack)નો ખતરો વધારે જોવા મળે છે. ત્યાં જ A ગ્રુપ વાળા લોકોમાં O બ્લડ ગ્રુપ વાળા લોકોની અપેક્ષામાં 11% હાર્ટ ફેલિયરનો ખતરો વધારે હોય છે.
હાર્ટ એટેકના મુખ્ય કારણો
કહેવામાં આવે છે કે આજકાલ લોકોની વ્યસ્ત જીવન શૈલીના કારણે, અનિયમિત ભોજન, જંક ફૂડ અથવા વઘારે મસાલેદાર ભોજનના કારણે હાર્ટ એટેકનો ખતરો વધારે થવા લાગે છે. હાઈ બ્લડ પ્રેસરના કારણે પણ હૃદય પર જરૂરી તણાવના કારણે હાર્ટએટેક થઈ શકે છે. તેવામાં માનસિક તણાવથી પીડાઈ રહેલા લોકો પણ હાર્ટ એટેકના રસ્કનો સામનો કરી શકે છે. ધુમ્રપાન અને દારૂ વગેરેનું સેવન કરનાર લોકો પણ હાર્ટ એટેકનો સામનો કરી શકે છે. આ ઉપરાંત વધારે માત્રામાં વજન વધવાથી પણ હાર્ટ એટેકની સંભાવના રહે છે.