નિષ્ણાતો દ્વારા કોરોના વાયરસ સંક્રમણના કારણે થતાં મૃત્યુ વિષે એક સ્ટડી કરવામાં આવી છે. તેમાં કોરોનાના કારણે કઇ ઉંમરના લોકોની મૃત્યુ વધારે થાય છે તે વિશે જણાવવામાં આવ્યું છે.
સૌથી વધુ 50 વર્ષથી ઓછી વયના લોકો બન્યા કોરોનાના શિકાર
સ્ટડી દરમિયાન 654 દર્દીઓ ICUમાં અને 247નાં થયા મૃત્યું
વેક્સિનેશ થયા બાદ બાળકો માટે ફરી શરૂ કરી શકાશે શાળાઓ
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)એ એક સ્ટડીમાં જણાવ્યું છે કે, કોરોનાવાયરસ સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોમાં 50 વર્ષથી ઓછી વયના લોકોની સંખ્યા વધુ છે. એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, એમ્સ ટ્રોમા સેન્ટરના ચીફ ડોક્ટર રાકેશ મલ્હોત્રા અને અન્ય તબીબી નિષ્ણાતો દ્વારા આ સ્ટડી કરવામાં આવી છે. સ્ટડીમાં કોરોના સંક્રમણ કારણે પુખ્ત દર્દીઓના મૃત્યુનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સ્ટડી માટે 4 એપ્રિલથી 24 જુલાઈ 2020ના સમયગાળાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
કયા વય જૂથના લોકોમાં કેટલો મૃત્યુ દર
એક અહેવાલ મુજબ, કોરોના વાયરસના સંક્રમણથી થતાં મૃત્યુ પર આધારિત એમ્સ સ્ટડીનો હેતુ દર્દીઓમાં મૃત્યુનું કારણ શોધી કાઢવું અને મહામારી ક્લિનિકલ એપિડેમિયોલૉજિકલ અસરનો અભ્યાસ કરવાનો હતો. આ સ્ટડી સાથે સંકળાયેલા દર્દીઓને દેશના ડેડિકેટેડ કોવિડ સેંટર્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્ટડીના સમયગાળા દરમિયાન ICUમાં 654 દર્દીઓ દાખલ થયા હતા. તેમાંથી 247 લોકોનાં મોત નીપજ્યાં. આ રીતે કુલ મૃત્યુ દર 37.7 ટકા રહ્યો હતો. ત્યારબાદ સ્ટડીને વધુ સરળ બનાવવા માટે પુખ્ત દર્દીઓને 18 થી 50, 51 થી 65 અને 65 વર્ષથી ઉપરના વય જૂથોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે 18 થી 50 વર્ષની વય જૂથમાં મૃત્યુ દર 42.1 ટકા હતો જ્યારે 51 થી 65 વર્ષની વય જૂથમાં મૃત્યુ દર 34.8 ટકા હતો અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મૃત્યુ દર 23.1 ટકા હતો .
કોરોનાના લક્ષણો ઘણા રોગોનો સમાવેશ
સ્ટડી અનુસાર, કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળતા સામાન્ય લક્ષણોમાં હાયપરટેન્શન, ડાયાબિટીઝ અને કિડની સંબંધિત રોગોનો સમાવેશ થાય છે. આ દર્દીઓમાં તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનો પણ નોંધણી કરવામાં આવી છે. કોરોના સંક્રમણના લીધે પોતાનો જીવ ગુમાવનારા લોકોનો ડેટા, ઇલેક્ટ્રોનિક મેડિકલ રોપોર્ટ અને પેશન્ટ ડેલી પ્રોગ્રેસ ચાર્ટ્સમાંથી લેવામાં આવ્યો હતો. આ સિવાય ICUની નર્સિંગ નોટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એકમાત્ર વેક્સિનેશન જ સુરક્ષિત રસ્તો
વધુ એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ICUમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં મૃત્યુ દર 8 ટકાથી 66.7 ટકા વચ્ચે રહ્યું છે. અમેરિકા, સ્પેન અને ઇટાલી જેવા અન્ય દેશોમાં પણ ICUમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીઓનો મૃત્યુદર સમાન જોવા મળ્યો છે. એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ સામે રક્ષણ આપવાનો એકમાત્ર સુરક્ષિત રસ્તો વેક્સિનેશન જ છે . તેમણે વધુમાં જણાવ્યું કે બાળકો માટે કોરોના વાયરસ વેક્સિનની ઉપલબ્ધિ એ મહામારી સામેની લડતમાં ઘણું અસરકારક સાબિત થશે. વેક્સિનેશ થયા બાદ બાળકો માટે શાળાઓ શરૂ કરી શકાશે અને અન્ય આઉટડોર એક્ટિવિટીસ પણ શરૂ કરી શકાશે.ો