જાણો જ્યોતિષ શાસ્ત્રમાં કઈ રાશિનાં જાતકો માટે સોનું શુભ ફળો આપે છે અને કઈ રાશિનાં જાતકોએ સોનું પહેરવાથી બચવું જોઈએ.
જાણો સોનાનું જ્યોતિષીય મહત્વ
કઈ રાશિના જાતકો માટે સોનું છે લાભકારક?
કઈ રાશિનાં જાતકોએ ન પહેરવું જોઈએ સોનું?
સોનાનો ગુરુ સાથે સંબંધ
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ધાતુનાં ગુણ અને મહત્વ જણાવવામાં આવ્યા છે. ધાતુઓનાં વિશેષ ગુણોને કારણે ગ્રહોની દશા સરખી થાય છે. આ જ કારણ છે કે સોનું પહેરવું શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત કુંડળીનાં ગ્રહ દોષ નિવારણ માટે ઘણા રત્નોને સોના, ચાંદી કે અન્ય ધાતુઓમાં પરોવીને પહેરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ, મોટાભાગના રાતનો સોના સાથે જ પહેરવામાં આવે છે. આવો જાણીએ, સોનું ધારણ કરવાનાં ફાયદા અને કઈ કઈ રાશિનાં જાતકોએ સોનું ન પહેરવું જોઈએ.
સોનાનું જ્યોતિષીય મહત્વ
જ્યોતિષ શાસ્ત્રમાં સોનાનો સંબંધ બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ સાથે જોડવામાં આવે છે. સોના પર બૃહસ્પતિનો પ્રભાવ રહે છે. આવામાં આ ધાતુ પાહેરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત બને છે અને જીવનમાં ધન-વૈભવ અને સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.
કઈ રાશિના જાતકો માટે સોનું છે લાભકારક? મેષ (Aries)
આ રાશિના જાતકો માટે સોનાની વીંટી પહેરવી લાભકારક માનવામાં આવે છે. આમ કરવાથી કમાણીનાં નવા સ્ત્રોત ઉત્પન્ન થાય છે. સાથે જ ઉધારથી પણ છુટકારો મળે છે.
સિંહ (Leo)
સોનું આ રાશિ માટે ભાગ્યનું કારક સાબિત થઇ શકે છે. આ રાશિના સ્વામી સૂર્ય ગ્રહ છે. સૂર્ય અને ગુરુ ગ્રહનો મૈત્રી સંબંધ રહે છે. એટલા માટે આ રાશિનાં જાતકોએ સોનું પહેરવું જોઈએ.
કન્યા (Virgo)
આ રાશિના જાતકો માટે પણ સોનું લાભકારી જણાવવામાં આવે છે. સોનું ધારણ કરવાથી આ રાશિનાં જાતકોને ખૂબ સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવે છે.
ધનુ (Sagittarius)
આ રાશિના સામી ગુરુ છે અને સોનાનો ગુરુ સાથે ખાસ સંબંધ માનવામાં આવે છે. આવામાં આ રાશિના જાતકો માટે સોનું પહેરવું શુભ માનવામાં આવે છે. સાથે જ તેમણે દરેક કામમાં સફળતા મળે છે.
કઈ રાશિનાં જાતકોએ ન પહેરવું જોઈએ સોનું?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વૃષભ, મિથુન, વૃશ્ચિક અને કુંભ રાશિનાં જાતકોએ સોનું ધારણ કરવું જોઈએ નહી. જ્યારે તુલા અને મકર રાશિના જાતકોએ વધારે માત્રામાં આભૂષણો ધારણ ન કરવા જોઈએ.