ગણેશ ચતુર્થી પર 4 રાશિના જાતકો પર ગણેશજીની વિશેષ કૃપા રહેશે. જાણો કઈ કઈ છે આ રાશિઓ
આજે છે ગણેશ ચતુર્થી
ગણેશજી બુધ ગ્રહનાં સ્વામી છે
4 રાશિના જાતકોને થશે લાભ
આજે છે ગણેશ ચતુર્થી
31 ઓગસ્ટનાં રોજ ગણેશ ચતુર્થીનો અવસર દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. ધર્મ ગ્રંથો અનુસાર, ભગવાન શિવ અને માતા પાર્વતીનાં પુત્ર ગણેશજીનો જન્મ આ દિવસે થયો હતો. આ દિવસે બાપ્પાનાં અભાકતો ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે અને તેમની પસંદગીની વાનગીઓ બનાવે છે. ગણેશ ઉત્સવનો પર્વ 10 દિવસ સુધી ચાલે છે અને 10 દિવસ પછી ભગવાન ગણેશ પોતાના ધામ પાછા ફરી જાય છે 31 ઓગસ્ટનાં રોજ ગણેશજીની સ્થાપના થયા બાદ 9 સપ્ટેમ્બરનાં રોજ વિસર્જન થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન ગણેશ આ ચાર રાશીઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવશે. આમાંથી અમૂક રાશીઓનાં સ્વામી સ્વયં ભગવાન ગણેશ છે. આવો જાણીએ ગણેશ ચતુર્થી પર કઈ કઈ રાશીઓ પર ભગવાન ગણેશનાં આશીર્વાદ રહેશે.
મિથુન રાશિ : બધા વિઘ્નો દૂર થશે
મિથુન રાશિનાં સ્વામી બુધ ગ્રહ છે, જેના દેવતા ભગવાન ગણેશ છે. આ કારણે ગણેશ ચતુર્થી પર મિથુન રાશિનાં જાતકોની કિસ્મત બદલાઈ જશે. આ રાશિનાં લોકો માટે વેપાર અને કરિયરમાં સફળતાનાં યોગ બનશે. સાથે જ કોઈ મોટી બીઝનેસ ડીલ ફાઈનલ થઇ શકે છે. પરિવાર અને કાર્યક્ષેત્રમાં શાંતિ બની રહેશે અને ભગવાન ગણેશની કૃપાથી બધા જ વિઘ્નો દૂર થશે. આ રાશિનાં વિદ્યાર્થીઓને શુભ સૂચના મળી શકે છે, જેથી તેમની કરિયરમાં મદદ થશે.
કર્ક રાશિ : બુદ્ધિ અને કૌશલ્યથી લાભ મળશે
કર્ક રાશિ બુધનાં પિતા ચંદ્રની રાશિ છે અને ચંદ્રએ પોતાની ભૂલ સુધારીને ગણેશજી પાસ્રથી વરદાન પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદથી ચંદ્ર પર ગણેશજી પ્રસન્ન થઇ ગયા હતા એટલી માટે કર્ક રાહ્સી પર ગણેશજીની કૃપા રહે છે. આ વર્ષે ચંદ્ર ચતુર્થી પર બુધની રાશિ કન્યા અને પછી તુલા રાશિમાં સંચાર કરશે. આવામાં ગણેશજીની કૃપાથી કર્ક રાશિનાં લોકોને બુદ્ધિ અને કૌશલ્યથી લાભ મળશે. માતૃપક્ષથી પણ લાભણો સંયોગ બનશે. નાના સમયગાળાનાં રોકાણમાં આ રાશિનાં લોકોને લાભ થશે.
કન્યા રાશિ : કરિયરમાં વૃદ્ધિ થશે
કન્યા રાશિનાં સ્વામી પણ બુધ છે અને બુધનાં સ્વામી ભગવાન ગણેશ છે. ગણેશ ચતુર્થીથી કન્યા રાશિનાં જાતકોને અનુકુળ પરિણામો પ્રાપ્ત થશે. નોકરીયાતો પર ભગવાન ગણેશની વિશેષ કૃપા રહેશે, જેથી તેમની કરિયરમાં સારી વૃદ્ધિ થશે. આ દરમિયાન, ભાઈ બહેનોણો સાથ મળશે અને સંબંધ પણ સૌહાર્દપૂર્ણ રહેશે. ગણેશજીનાં આશીર્વાદથી તમારા કાર્યોમાં આવી રહેલ મુશ્કેલીઓ દૂર થશે અને ઉન્નતીનાં માર્ગ ખુલશે. સામાજિક લોકોથી આ દરમિયાન તમારું મનોબળ વધશે અને નવા મિત્રો પણ બનશે.
તુલા રાશિ : આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ થશે
આ વર્ષે ચંદ્રણો સંચાર ગણેશ ચતુર્થીનાં દિવસે તુલા રાહ્સીમાં થશે. તુલા રાશિનાં સ્વામી શુક્રની બુધ સાથે મિત્રતા છે. આવામાં ગણેશજીની કૃપા તુલા રાશિનાં જાતકો પર પણ બની રહેશે. તુલા રાશિમાં આવીને ગણેશજી તેમને લાભ અને સૌભાગ્ય પ્રદાન કરશે. તુલા રાશિનાં લોકોનાં જીવનમાં પ્રેમનો સંચાર થશે. આર્થિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થશે. અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે.