29 એપ્રિલ 2022નાં રોજ અઢી વર્ષ બાદ શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જેથી 4 રાશિનાં જાતકોને મળશે ભરપૂર લાભ.
શનિનું થવા જઈ રહ્યું છે રાશિ પરિવર્તન
શનિ કરશે કુંભ રાશિમાં પ્રવેશ
અત્યારે શનિ છે મકર રાશિમાં
શનિનું થવા જઈ રહ્યું છે રાશિ પરિવર્તન
કોઈપણ ગ્રહના રાશિ પરિવર્તનને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે બધી જ રાશિનાં જાતકો પર સારી - ખરાબ અસર જોવા મળે છે. આવી જ રીતે શનિનું પણ રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. શનિ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગોચરને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે કેમકે આ ગ્રહ સૌથી ધીમી ચાલ ચાલે છે, પરંતુ આ ગ્રહમાં થતા પરિવર્તનોની અસર લાંબા સમય સુધી રહે છે. અઢી વર્ષ બાદ થવા જઈ રહેલ શનિનું રાશિ પરિવર્તન આ 4 રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે. સાથે જ અમુક અન્ય રાશિનાં જાતકો પર ખરાબ અસર પણ પડશે.
29 એપ્રિલ 2022નાં રોજ શનિનું રાશિ પરિવર્તન થતા જ ધણું રાશિનાં જાતકોને સાડા સાતીથી મુક્તિ મળી જશે. પરંતુ મીન રાશિનાં જાતકો પર સાડા સાતીનું પહેલું ચરણ શરુ થઇ જશે. આ જ પ્રકારે મિથુન અને તુલા રાશિનાં જાતકોને શનિનાં ધૈયાથી મુક્તિ મળી જશે પરંતુ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર ધૈયા શરુ થઇ જશે. આ રાશિનાં જાતકોએ ખૂબ જ સાચવીને રહેવું પડશે.
મેષ (Aries)
શનિનું રાશિ પરિવર્તન મેષ રાશિનાં જાતકોને મહેનતનું ફળ અપાવશે. તેમને ધન લાભ પણ થશે. નવી નોકરી પણ મળી શકે છે. બેરોજગારોને રોજગાર પણ મળી શકે છે. વર્કપ્લેસ પર સમ્માન - પ્રમોશન મળવાના પણ યોગ છે.
વૃષભ (Taurus)
વૃષભ રાશિનાં જાતકોને મનપસંદ નોકરી મળવાની સંભાવના છે. સફળતા મળશે અને કમાણી પણ વધી શકે છે. કુલ મળીને આ સમય ફાયદાકારક રહેશે. આ ઉપરાંત, અત્યાર સુધીબ અટકેલા કામ પણ પાર પડી શકે છે.
મિથુન (Gemini)
મિથુન રાહ્સીના જાતકોને કમાણી વધાવાની સંભાવના છે. લાંબી યાત્રા પર જઈ શકો છો. જે લોકો કોઈ બીમારીથી પરેશાન હોય, તેમણે રાહત મળશે.
કન્યા (Virgo)
કન્યા રાશિના જાતકોને ઘણા પ્રકારે લાભ થશે. ઇન્ટરવ્યૂ-પરીક્ષામાં સફળતા મળશે. પૈસા કમાવાના ઘણા મોકા મળશે. સેલરી વધી શકે છે. અટકાયેલા પૈસા પણ પાછા મળી શકે છે.