અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સૌથી વધારે દાન રાજસ્થાનમાંથી આવ્યું છે.
શ્રીરામ જન્મભૂમિ મહામંત્રી ચંપતરાયે દાનના આંકડા કર્યાં જાહેર
રાજસ્થાનના લોકોએ સૌથી વધારે 515 કરોડનું આપ્યું દાન
મંદિર નિર્માણ માટે અત્યાર સુધી 2500 કરોડનું દાન આવ્યું
વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહામંત્રી ચંપતરાયે જણાવ્યું કે રાજસ્થાનના લોકોએ સૌથી વધારે 515 કરોડ રુપિયાનું દાન કર્યું છે.
રાજસ્થાનના 36 હજાર ગામો તથા શહેરોએ મંદિર માટે 515 કરોડ રુપિયાનું દાન આપ્યું
મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે રાજસ્થાનના 36 હજાર ગામો તથા શહેરોએ મંદિર માટે 515 કરોડ રુપિયાનું દાન આપ્યું છે. દેશમાં ઉત્તરાયણથી માંડી માઘી પૂનમ સુધી ચાલેલા દાન અભિયાનમાં એક લાખ પંચોતેર હજાર ટોળિઓ દ્વારા માધ્યમ દ્વારા લગભગ નવ લાખ કાર્યકરોએ ઘેર ઘેર જઈને લોક સંપર્ક કેળવ્યો હતો અને લોકોને છૂટા હાથે દાન આપવાની અપીલ કરી હતી.
મંદિર નિર્માણ માટે અત્યાર સુધી 2500 કરોડનું દાન આવ્યું
ચંપતરાયે જણાવ્યું કે ચાર માર્ચ સુધી મંદિર નિર્માણ માટે અત્યાર સુધી 2500 કરોડનું દાન આવ્યું છે જોકે આ અંતિમ આંકડો નથી. મંદિરના ચબૂતરા માટે મિર્ઝાપુર જિલ્લા અને પરકોટા માટે જોધપુરના પથ્થર લગાડવાનો વિચાર કરાઈ રહ્યો છે મંદિરમાં ભરતપુરના બંશી પહાડપુરના પણ પથ્થર લાગશે. તેમણે કહ્યું કે મંદિર માટે 400 ફૂટ લાંબો, 250 ફૂટ પહોળો અને 40 ફુટ ઊંડો કાટમાળ બહાર કાઢવામાં આવી રહ્યો છે જે પછી પુરવાનું કામ શરુ કરાશે. પુરવાનું કામ આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકો તૈયાર કરી રહ્યાં છે.
જમીન પર લગભગ 500 વિશાળ વૃક્ષ છે જેને કાપ્યા વગર બીજે ઠેકાણે ખસેડવામાં આવશે.
ચંપતરાયે જણાવ્યું કે જમીન સુધી ક્રોંકિટ અને તેની પર 16.5 ફૂટ ઊંચા ચબૂતરા પથ્થરોથી બનશે જેની પર મંદિર બનશે. મંદિરના ભૂગર્ભથી 161 ફુટ ઊંચું હશે અને તે 361 ફુટ લાંબુ અને 235 ફુટ પહોળું હશે. મંદિર ત્રણ માળનું હશે, દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે. તેમણે કહ્યું કે આ જમીન પર લગભગ 500 વિશાળ વૃક્ષ છે જેને કાપ્યા વગર બીજે ઠેકાણે ખસેડવામાં આવશે.