હરભજન સિંહનું નવું નિવેદન સામે આવ્યું છે. એશિયા કપ 2023 માટે ભારતે પાકિસ્તાન ન જવું જોઈએ. પાકિસ્તાન જવામાં ઘણો ખતરો છે અને તેને ધ્યાનમાં રાખીને કોઈપણ નિર્ણય લેવો જોઈએ.
ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન જવામાં ઘણો ખતરો છે
પાકિસ્તાન ના લોકો પોતાના દેશમાં સુરક્ષિત નથી અનુભવતા
દિગ્ગજ સ્પિનર હરભજન સિંહનું નવું નિવેદન સામે આવ્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહે જાહેરાત કરી હતી કે ટીમ ઈન્ડિયા એશિયા કપ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.નોંધનીય છે કે જય શાહના આ નિવેદન બાદ એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાનને બદલે UAEમાં કરવાની ચર્ચા શરૂ થઈ હતી પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હજુ પણ એ વાતની આશ લગાવીને બેઠા છે કે તેઓ ટૂર્નામેન્ટની આગામી સિઝનની યજમાની કરી શકે છે.
પાકિસ્તાન જવામાં ઘણો ખતરો છે
આ બધા વચ્ચે ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહનું નવું નિવેદન સામે આવ્યું છે. એમનું માનવું છે કે એશિયા કપ 2023 માટે ભારતે પાકિસ્તાન ન જવું જોઈએ. પાકિસ્તાન જવામાં ઘણો ખતરો છે અને તેને ધ્યાનમાં રાખીને કોઈપણ નિર્ણય લેવો જોઈએ. આ સાથે ભજ્જીએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનના લોકો પોતાના દેશમાં સુરક્ષિત નથી અનુભવતા.
Should India travel to Pakistan for Asia Cup 2023? Here's what Harbhajan Singh says
પાકિસ્તાન ના લોકો પોતાના દેશમાં સુરક્ષિત નથી અનુભવતા
હરભજને કહ્યું કે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ ન કરવો જોઈએ કારણ કે એ દેશમાં ખેલાડીઓની સુરક્ષા પર સવાલ છે જ્યાં તેમના પોતાના લોકો અસુરક્ષિત છે. ભજ્જી એ કહ્યું હતું કે "ભારતે પાકિસ્તાનની યાત્રા ન કરવી જોઈએ કારણ કે ત્યાં જવું સુરક્ષિત નથી, જ્યારે તેમના પોતાના લોકો તેમના પોતાના દેશમાં સુરક્ષિત નથી અનુભવતા ત્યારે આપણે ત્યાં મુસાફરી કરવાનું જોખમ ન લેવું જોઈએ"
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સખત શબ્દોમાં નિવેદન સાથે બદલો લીધો જ્યાં તેઓએ 2023 ODI વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી.
નોંધનીય છે કે આ સપ્તાહના અંતમાં દુબઈમાં ICC બોર્ડની બેઠકમાં એશિયા કપ વિવાદનો અંત આવે તેવી શક્યતા છે. આ વિશે પીસીબીના વડા નજમ સેઠીએ કહ્યું હતું કે, "અમારી સામે જટિલ મુદ્દાઓ છે પણ જ્યારે હું એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) અને આઈસીસીની બેઠકમાં જાઉં છું, ત્યારે મેં અમારા માટે તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે અને અમારે હવે સ્પષ્ટ નિર્ણય લેવો પડશે."