મદ્રાસ હાઇકોર્ટમાં દાખલ થયેલી એક પીઆઈએલમાં માંગ કરવામાં આવી હતી કે, તિરુવત્તરમાં અરુલમિઘુ આદિકેશવ પેરુમલ થિરુકોવિલના કુમ્બાબીશેગમ તહેવારમાં બિન-હિંદુઓને ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ નહીં
અન્ય ધર્મના લોકોને મંદિરમાં પ્રવેશ ન દેવા બાબતે હાઇકોર્ટની મહત્વની ટિપ્પણી
અન્ય ધર્મનો વ્યક્તિને હિંદુ દેવી-દેવતાઓમાં આસ્થા હોય તો પ્રવેશ આપવાથી રોકી શકાય નહી
મદ્રાસ હાઈકોર્ટે અન્ય ધર્મના લોકોને મંદિરમાં પ્રવેશ ન દેવા બાબતે એક મહત્વની ટિપ્પણી કરી છે. વિગતો મુજબ અન્ય ધર્મના લોકોને મંદિરમાં પ્રવેશ ન દેવા બાબતે ની માંગ કરતી પીઆઈએલની સુનાવણી દરમ્યાન મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે, જો કોઈ અન્ય ધર્મનો વ્યક્તિ હિંદુ દેવી-દેવતાઓમાં આસ્થા ધરાવતો હોય તો તેને પ્રવેશ આપવાથી રોકી શકાય નહી.
શુ કહ્યું મદ્રાસ હાઇકોર્ટે ?
આ પીઆઈએલની સુનાવણી જસ્ટિસ પીએન પ્રકાશ અને જસ્ટિસ આર હેમલતાની ડિવિઝન બેંચ દ્વારા કરવામાં આવી રહી હતી. જેમાં માંગ કરવામાં આવી હતી કે, તિરુવત્તરમાં અરુલમિઘુ આદિકેશવ પેરુમલ થિરુકોવિલના કુમ્બાબીશેગમ તહેવારમાં બિન-હિંદુઓને ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
કોર્ટે હાઇલાઇટ કર્યું હતું કે, જન્મથી ખ્રિસ્તી ડૉ. કે.જે. યેસુદાસના વિવિધ દેવી-દેવતાઓ પરના ભક્તિ ગીતો મંદિરો, નાગૌર દરગાહ અને વેલંકન્ની ચર્ચમાં કોઈપણ વાંધો વિના વગાડવામાં આવે છે. જ્યારે મંદિરમાં કુંભબીશેગમ જેવો સાર્વજનિક ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે સત્તાવાળાઓ માટે મંદિરમાં પ્રવેશની મંજૂરી આપવાના હેતુથી દરેક ભક્તની ધાર્મિક ઓળખ ચકાસવી અશક્ય બની જાય છે. તેથી જો કોઈ અન્ય ધર્મ સાથે સંબંધિત વ્યક્તિ એક ચોક્કસ હિંદુ દેવતા જેને રોકી શકાતું નથી અને ન તો તેના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી શકાય છે.