ભારતની રાજધાની દિલ્હીમાં એક અજીબ ઘટના સામે આવી છે, લોકોને મોતનો મેસેજ મળી રહ્યો છે.
દિલ્હીમાં લોકોને મળી રહ્યો છે મોતનો મેસેજ
લોકો વાંચીને હચમચી ગયા છે
નેતાએ ઉઠાવ્યા સવાલ અને માંગ્યો જવાબ
દિલ્હીમાં લોકોને એક મેસેજ આવી રહ્યો છે જેમાં લખ્યું છે તમારી ડેથ રજીસ્ટ્રેશનની રિકવેસ્ટને સ્વીકાર કરી લેવામાં આવી છે. હેરાનીની વાત તો તે છે કે આ મેસેજ સાઉથ દિલ્હી નગર નિગમ તરફથી આવી રહ્યો છે.
લોકોને મળે છે મોતનો મેસેજ
સાઉથ દિલ્હીના આયાનગરમાં રહેવાવાળા વિનોદ શર્મા કહે છે કે તેમને એક મહિના પહેલા આ મેસેજ મળ્યો હતો. શરૂઆતમાં તો તે ડરી ગયા હતા પરંતુ બાદમાં તેમને સમજમાં આવ્યું કે તેમની સાથે કોઇ મજાક કરી રહ્યું છે. તે બાદ સીધુ તેમણે કાઉન્સિલરને ઇન્ફોર્મ કર્યું. આ મેસેજ રિસીવ કરનારા વિનોદ એકલા નથી.
આયાનગરના એક 24 વર્ષીય રોહિત બેંસલાને પણ આ મેસેજ મળ્યો હતો. રોહિતના પિતા રાજપાલની મોત ડિસેમ્બરમાં જ થઇ હતી જે બાદ ડેથ રજીસ્ટ્રેશન માટે અપ્લાય કર્યુ હતુ પરંતુ એસડીએમસી દ્વારા તેના રજીસ્ટ્રેશનને કેન્સલ કરી દેવામાં આવ્યું હતું. રોહીતે 4 વાર અપ્લાય કર્યુ પણ દરેક વખતે રિજેક્શન આવ્યુ હતુ. આ વખતે એપ્લિકેશન એક્સેપ્ટ થઇ તો મેસેજ આવ્યો.
15 દિવસમાં ફોલ્ટનું આવશે સોલ્યુશન
સમગ્ર મામલો સામે આવ્યા બાદ ડીએમડીસીની લોકો નિંદા કરી રહ્યાં છ. જે બાદ તંત્રએ કહ્યું છે કે આ એક ટેકનીકલ ફોલ્ટ છે જે 15 દિવસમાં સોલ્વ થઇ જશે. સદનના નેતાએ કહ્યું કે હજુ ગવર્મેન્ટની નવી એનઆઇસી આ મામલાને તપાસી રહી છે. આવનારા 15 દિવસની અંદર બધી વસ્તુઓ ઠીક થઇ જશે.