શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપ પર ફરી નિશાન સાધવામાં આવ્યું છે. દેશમાં રાજકીય સમીકરણ ઝડપથી બદલાયું છે. સામાનામાં લખવામાં આવ્યું કે 71 ટકા ભાગ પર શાસન હતું, હવે ભાજપનું 40 ટકાએ પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન ભાજપ પાસે હવે નથી. જયારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ ભાજપ પાસેથી છિનવાય ગયા છે. ત્યારે હવે ઝારખંડમાં પણ ભાજપને ઝટકો આપીને ઘર વાપસી અપાવવાના મૂડમાં નથી.
શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપ પર નિશાન
71 ટકા ભાગ પર રાજ કરતી ભાજપ 40 ટકાએ પહોંચી
હવે ભાજપને ઝટકો આપવાનો વારો ઝારખંડનો
શિવસેનાએ સામનામાં લખ્યું છે કે માત્ર મહારાષ્ટ્ર નહિં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા મહત્વપૂર્ણ રાજ્ય હવે ભારતીય જનતા પાર્ટી પાસે નથી. હરિયાણામાં ભલે ભાજપે ચૂંટણી બાદ ગઠબંધન કરી ડીલ કરી સરકાર બચાવી લીધી .
જો કે હવે ઝટકો આપવાનો વારો ઝારખંડ રાજ્યમાં છે. ઝારખંડમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં જનતા જોરનો ઝટકો જોરથી આપશે. જો કે ભાજપ દ્વારા ચૂંટણી જીતવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઇને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે, પરંતુ મેદાનમાં ભીડ એકઠી થઇ રહી નથી.
સામનામાં શિવસેનાએ લખ્યું છે કે ગત ગુરૂવારના રોજ અમિત શાહની ચતરા અને ગઢવા રેલીમાં દૂર્ભાગ્ય પૂર્ણ અહીં લોકો રેલીમાં પહોંચ્યા નહોત. જેને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ખાસી નારાજગી વ્યક્ત કરી હતી.
ઝારખંડની વર્તમાન પરિસ્થિતિને જોતા એવુ લાગી રહ્યું છે કે ત્યાંની જનતાનો જે 18મી સદીથી સંઘર્ષ ચાલ્યો આવે છે તે આજે પણ ચાલી રહ્યો છે.