સબ્સિડી માટે એક મર્યાદા નક્કી કરવા પર વિચારણા ચાલી રહી છે.
સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
ફરી શરૂ કરવામાં આવી શકે છે સબ્સિડી
2020માં એલપીજી પર સબ્સિડી સમાપ્ત કરી દીધી હતી
સરકારે મે 2020માં એલપીજી સિલિન્ડર પર મળતી સબ્સિડી (LPG Subsidy) બંધ કરી દીધી હતી. પરંતુ હવે તે ફરી વખત શરૂ કરવામાં આવી શકે છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે સબ્સિડીને લઈને એક મર્યાદા નક્કી કરવા પર વિચાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના માટે એક સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.
તેના માટે ઘણા પ્રકારના વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમાંથી એક વિકલ્પ છે કે ફક્ત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ આ સબ્સિડી આપવામાં આવે. સિલિન્ડર મોંઘુ થવા પર મોટી સંખ્યામાં આ યોજનાના લાભાર્થીઓને સબ્સિડીનો લાભ નહીં મળે.
તેના કારણે તે સિલિન્ડરની રિફિલ નથી કરી શકતા. સરકારે મે 2020માં એલપીજી પર સબ્સિડી સમાપ્ત કરી દીધી હતી. તે સમયે દિલ્હીમાં 14.2 કિલોના એક એલપીજી સિલિન્ડરની કિંમત 581.50 રૂપિયા હતી. ત્યાં જ હવે તેની કિંમત 884.50 રૂપિયા સુદી પહોંચી ગઈ છે. પરંતુ સરકારે આ સબ્સિડીને ફરી શરૂ ન કરી.
હાલમાં કેટલી છે સબ્સિડી?
દિલ્હીમાં રાંધણ ગેસ પર સબ્સિડી નથી આપવામાં આવતી પરંતુ કેન્દ્ર હવે અમુક રાજ્યોમાં ફ્રેટ કોસ્ટ્સના રૂપમાં સબ્સિડી આપી રહ્યું છે. દરેક રાજ્યમાં સબ્સિડીની રકમ અલગ અલગ છે પરંતુ તે 30 રૂપિયાથી ઓછી છે. તેના માટે એક સર્વે કરવામાં આવી રહ્યો છે. તેના દ્વારા એ ખબર પડે છે કે કયા ભાવ પર ગ્રાહક સરળતાથી એલપીજી સિલિન્ડર ખરીદી શકે છે.
PMUYના લાભાર્થી આર્થિક રૂપથી કમજાર છે. એવામાં ફક્ત તેમને જ સબ્સિડી આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એક સર્વેના પરિણામો બાદ જ કોઈ નિર્ણય કરવામાં આવી શકે છે. એવું લગી રહ્યું છે કે માર્ટ 2022 સુધી દેશમાં એલપીજી ઉપભોક્તાઓની સંખ્યા 30 કરોડથી વધારે હશે. તેમાંથી ઓછામાં ઓછા 20.7 કરોડ ઉપભોક્તા નિયમિત ઉપભોક્તા છે. પરંતુ તે PMUYમાં શામેલ નથી.