અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ભીડ તો ક્યાંક નિરસતા જોવા મળી રહી છે, સાણંદ તાલુકાના નાના વિરમગામમાં વેક્સિન લેવા માટે લોકોની કતાર જોવા મળી હતી
ગુજરાતના ગામડાઓમાં વેક્સિન માટે સવારથી લાંબી લાઈન
શું સરકાર પાસે હજુ પણ લોકોને આપી શકાય તેટલા ડોઝ નથી
શું વેક્સિન અભિયાન માત્ર સરકારની વાહ-વાહ કરવા પૂરતું?
રાજ્યમાં કોરોના સામે વેક્સિનેશન અભિયાન પૂર જોશમાં શરૂ છે. ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ભીડ તો ક્યાંક નિરસતા જોવા મળી રહી છે. સાણંદ તાલુકાના નાના વિરમગામમાં વેક્સિન લેવા માટે લોકોની કતાર જોવા મળી હતી. ગામની ગ્રામીણ શાળામાં PHC દ્વારા વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ છે. ગ્રામજનો વેક્સિન લેવા માટે જાગૃત જોવા મળ્યા હતા. ગામની મતદાન યાદીના 334માંથી 225 લોકોનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. તો બીજી તરફ સાણંદ તાલુકાના લાય પુરા ગામે વેક્સિન માટેની જાગૃતતાનો અભાવ જોવા મળ્યો હતો. જ્યાં નાગરિકો આવે અને વેક્સિનેશન કરાવીને નીકળી જતા હોય તેવા ભીડ ભાડ વિના દ્રશ્યો જોવા મળ્યા હતા.
જો કે VTV દ્વારા સાણંદ તાલુકા અન્ય ગામોની તપાસ કરતા ગામડામાં પણ લાંબી કતારો જોવા મળી હતી. એટલે કે સાણંદ તાલુકામાં કુલ 6 PHC સેન્ટરો આવેલા છે. જેમાં પ્રત્યેક PHCમા 18 જેટલા ગામો હોય છે. ત્યારે પ્રત્યેક PHC દરરોજ જુદાજુદા બે બે ગામોમાં ગામની શાળામાં વેક્સીનેશન સેન્ટર ઉભું કરવામાં આવે છે. ત્યાં ગ્રામજનો આવીને વેક્સીનેશન મુકાવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારની વ્યસવસ્થા સાણંદ તાલુકામાં આવતા ચેખલા PHCના બે ગામો એટલે કે અણદેજ અને નાના વિરમગામ ગામેં ગોઠવાઈ હતી. જેમાં અણદેજ ખાતે 150 આજે નાના વિરમગામ ખાતે 150 ડોઝ ફાળવણી સાથે વેક્સીનેશન સેન્ટર ઉભું કરાયું હતું. જેમાં ગ્રામજનોની લાંબી કતારો જોવા મળી હતી.