પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતા અબ્દુલાએ જણાવ્યું કે કાશ્મીરી પંડિતોએ પલાયનથી ઘણું બધુ વેઠ્યું છે, તેમનું દર્દ અગણિત છે. તેમણે કહ્યું કે ભાજપે કાશ્મીરના લોકોને ફક્ત વોટબેંક માટે ઉપયોગ કર્યો. તેમને મોટા વાયદાઓ કરાવમાં આવ્યાં પરંતુ તે પાર પડાયા નથી.
છેલ્લા 3 દાયકાથી કાશ્મીરી પંડિતો સન્માનજક વાપસી અને પુનઃવસન માટે તરસી રહ્યાં છે
અબ્દુલાએ એવું કહ્યું કે છેલ્લા 3 દાયકાથી કાશ્મીરી પંડિતો સન્માનજક વાપસી અને પુનઃવસન માટે તરસી રહ્યાં છે. આ મુદ્દો ઘણો મહત્વપૂર્ણ છે. અબ્દુલાએ દાવો કરતા કહ્યું કે નેશનલ કોન્ફરન્સ એકમાત્ર એવી પાર્ટી છે જે ખીણમાં પંડિતોની વાપસી અને પુનઃવસન સુનિશ્ચિત કરી શકે છે.
People in Kashmir were only used as a vote bank, several promises were made but none fulfilled. Problems were created between Kashmiri Pandits & Kashmiri Muslims. Our enemies will benefit from the hatred spread between Hindus & Muslims in J&K: Ex-J&K CM & NC chief Farooq Abdullah pic.twitter.com/4bK2bbFmVo
અબ્દુલ્લા કહ્યું કે, "કેટલાક દળોએ વિચાર્યું હતું કે તેઓ પંડિતોને અહીંથી હાંકી કાઢશે અને કાશ્મીર પર કબજો કરશે, પરંતુ હું તેમને ચેલેન્જ કરુ છું કે તેઓ તેમના નાપાક ઇરાદાઓમાં ક્યારેય સફળ નહીં થાય. હું જમ્મુના લોકોનો આભાર માનું છું જેમણે ને કાશ્મીરી પંડિતોને ટેકો આપ્યો હતો.
ભાજપે હંમેશાં કાશ્મીરી પંડિતોનો મતબેંક તરીકે ઉપયોગ કર્યો
અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, "ભાજપે હંમેશાં કાશ્મીરી પંડિતોનો મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે અને તેમના માટે કશું કર્યું નથી. કેટલાક દળોએ કાશ્મીરી પંડિતો અને મુસ્લિમોને વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો હતો.મુસ્લિમોએ પંડિતોને ક્યારેય ખીણ છોડવા ની ફરજ પાડી ન હતી, પરંતુ કેટલાક લોકોએ આમ કર્યું હતું." તેમણે કહ્યું હતું કે મુસ્લિમ સમુદાય પણ નોકરીઓ અને અન્ય વિસ્તારોમાં તેના હિસ્સાને લાયક છે પરંતુ પંડિતોના અધિકારો ક્યારેય છીનવી લીધા નથી.