કોરોનાના ખતરાને જોતા મહારાષ્ટ્રમાં સરકારે નિર્ણય લીધો છે કે હોમ ક્વૉરન્ટીનમાં રખાયેલા લોકોના ડાબા હાથ પર સિક્કો મારવામાં આવશે. હોમ ક્વૉરન્ટીનમાં રખાયેલા લોકો શંકાસ્પદ છે જે વિદેશથી પરત ફર્યા છે અને તેમને કોરોના સંક્રમિત હોવાનો ખતરો હોવાનું મનાઈ રહ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કોરોનાના સંદિગ્ધને ડાબા હાથે સિક્કો મરાશે
આ સિક્કો તે સંદિગ્ધોના હાથ પર લાગશે જે વિદેશથી પરત ફર્યા છે અને હોમ ક્વૉરન્ટીનમાં રખાયા છે
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી પીડિતોના મામલા અત્યાર સુધી 41 થયા છે.
મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે કોરોનાના સંદિગ્ધોને ડાબા હાથે હવે એક સિક્કો લગાવાઈ રહ્યો છે. આ સિક્કો એ લોકોને લગાવાઈ રહ્યો છે જે પોતાના ઘરમાં આઈસોલેશનમાં રખાયા છે. જો કે હાલમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Coronavirus) ના 41 કેસ સામે આવ્યાં છે. દર્દીઓની સંખ્યાને વધતી રોકવા માટે સરકાર તરફથી અલગ અલગ પ્રકારના પગલાં ભરાઈ રહ્યાં છે.
આ સિક્કામાં લખાઈ રહ્યું છે અમે મુંબઈના લોકોને બચાવી રહ્યાં છે. અંગ્રેજીમાં લખ્યું છે Proud to Protect Mumbaikars, Home Quarantined અને આ સિક્કામાં તારીખ પણ લખાઈ રહી છે કે વ્યક્તિને ક્યાં સુધી હોમ ક્વૉરન્ટીનમાં રખાશે. સામાન્ય રીતે 14 દિવસ બાદની તારીખ લખવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં એક બેઠક થઈ. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં તમામ જિલ્લાના અધિકારીઓ શામેલ થયા. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે કોરોના સંદિગ્ધોના હાથ પર સિક્કો મારવામાં આવે. હાલ પ્રોટોકલના હિસાબથી વિદેશથી આવનારા નાગરિકોને તેમના ઘરમાં જ આઈસોલેશનમાં રખાઈ રહ્યાં છે અને તેમના સેમ્પલ લઈને ટેસ્ટ માટે મોકલવામાં આવી રહ્યાં છે.