અમદાવાદમાં તંત્ર દ્વારા જે ખાડાઓ ખોદવામાં આવે છે તે ખાડાઓને કારણે શહેરીજનોને હેરાન પરેશાન છે. આ મામલે વીટીવી દ્વારા આજે રિયાલીટી ચેક કરવામાં આવ્યું જેમા શહેરીજનોએ પોતાની વ્યથા જણાવી હતી.
અમદાવાદમાં ખોદાયેલા ખાડાઓને લઈ લોકો હેરાન પરેશાન
શિવરંજની ચાર રસ્તા પર જ મોટો ખાડો ખોદી કાઢવામાં આવ્યો છે
ખાડાઓનું સમારકામ જલ્દી ન થતા સર્જાય છે ટ્રાફિક જામની સમસ્યા
તંત્રની યોજના વગરની કામગીરીને કારણે લોકો હેરાન પરેશાન
અમદાવાદ ખાલી કહેવા માટે સ્માર્ટ સીટી હોય તેવું લાગી રહ્યું છે. આ વાત અમે એટલા કહી રહ્યા છે કારણકે શહેરના રસ્તાઓને લઈને હવે શહેરીજનો કંટાળી ગયા છે. VTV દ્વારા આ મામલે રિયાલીટી ચેક કરવામાં આવ્યું જેમા શહેરીજનોએ તેમની થતી સમસ્યાઓ જણાવી હતી. મોટા ભાગની જગ્યાએ તંત્ર દ્વારા ખાડાઓ ખોદી કાઢવામાં આવે છે. પરંતું તેનું સમારકામ જલ્દી નથી કરવામાં આવતું તેવું શહેરીજનોનું કહેવું છે.
પ્લાનિંગ વગરની તંત્રની કામીગીરી
શહેરના શિવરંજની વિસ્તારમાં તંત્રની કામગીરી ચાલી રહી છે. જેમા શિવરરંજની ચાર રસ્તાની વચ્ચોવચ તંત્ર દ્વારા મોટો ખાડો ખોદી કાઢવામાં આવ્યો છે. જેના કારણે લોકો ભારે હેરાન થઈ રહ્યા છે. શિવરંજની ચાર રસ્તા પર જે ખાડો ખોદવામાં આવ્યો છે. ત્યા તંત્ર દ્વારા પ્લાનિંગ વગરની કામગીરી સામે આવી છે.
તંત્રએ ખોદેલા ખાડાઓને કારણે લોકો હેરાન પરેશાન
રસ્તા પર જે પણ ખાડાઓ તંત્ર દ્વારા ખોદી કાઢવામાં આવે છે તેના કારણે લોકો ભારે હેરાન થાય છે. વીટીવી દ્વારા શહેરીજનોને જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ખાડાઓને કારણે તેમને ભારે તકલીફ પડી છે. ટ્રાફીક જામની સમસ્યા પણ સર્જાય છે. સાથેજ લોકોએ એવું પણ કહ્યું કે સવારમાં ટ્રાફીકમાં ફસાઈ જવાને કારણે તેઓ સમયસર ઓફિસ નથી પહોચી શકતા.
ખાડાઓને કારણે ભયંકર ટ્રાફિક જામની સમસ્યા
વધુમાં શહેરીજનો દ્વારા કહેવામાં આવ્યું કે તંત્ર ખાડાઓ તો ખોદી કાઢે છે. પરંતુ તેને પુરવાની તસ્દી નથી લેતું. રસ્તા પર પડેલા ખાડાઓને કારણે ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકોનું કહેવું છે કે વારંવાર તેમને એકજ સિગ્નલ પર ઉભા રહેવું પડે છે. ઉપરાંત આ ટ્રાફીક જામની સમસ્યાને કારણે પ્રદુષણ પણ થાય છે.
પોશ વિસ્તારોમાં પણ તંત્રની કામગીરી મંદ ગતીએ
ઉલ્લેખનીય છે કે મહાપાલિકાના ધિમી ગતીએ ચાલતા કામને કારણે શહેરનીજનોને હેરાન થવાનો વારો આવ્યો છે. નવાઈની વાત એ છે કે શિવરંજની જેવા પોશ વિસ્તારમાં પણ ખાડા ખોડી કાઢવામાં આવ્યા છે પરંતુ તેનું સમારકામ કરવામાં નથી આવ્યું અહીયા મોટી સંખ્યામાં વાહનોની અવરજવર હોય છે. જેથી વાહનચાલકોને ભારે હાલાંકી પડી રહી છે.