3 મહિના પહેલા મોદી સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગરીબોને ફ્રીમાં અનાજ યોજનાનો સમય નવેમ્બર સુધી વધાર્યો હતો. કેન્દ્ર સરકારે તે સમયે કહ્યું હતું કે જે લોકો પાસે રાશન કાર્ડ નથી તેઓ પણ ફ્રીમાં 5 કિલો મફત ઘઉં કે ચોખા અને 1 કિલો દાળ લઈ શકશે. છેલ્લા 3 મહિનાથી કેન્દ્ર સરકારના આદેશ પર રાજ્ય સરકારો જેની પાસે રાશન કાર્ડ નથી તેમને પણ રાશન ફ્રીમાં આપી રહી છે. એવામાં જેઓએ હજુ સુધી રાશન કાર્ડ બનાવ્યું નથી તેઓ પણ આ યોજનાનો લાભ નવેમ્બર મહિના સુધી લઈ શકશે.
કેન્દ્રનો કોરોના મહામારીને લઈને આદેશ
સરકાર રાશન કાર્ડ વિના પણ ફ્રીમાં આપી રહી છે રાશન
નવેમ્બર મહિના સુધી રાશન કાર્ડ વિના મળશે રાશન
રાશન કાર્ડ વિના આ રીતે મળશે રાશન
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પાર્ટ 2ના આધારે આ યોજનાની જાહેરાત કરાઈ છે. પીએમ મોદીએ 30 જૂન 2020એ રાષ્ટ્રજોગ સંદેશમાં કહ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દેશમાં તહેવારને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી ગરીબ ક્લ્યાણ યોજના(PMGKAY)ના આવનારા 5 મહિના નવેમ્બર 2020 સુધી વિસ્તાર કરાશે. તેનાથી દેશના 80 કરોડથી વધારે લાભાર્થીઓને તેમની માસિક પાત્રતા સિવાય 5 કિલો ઘઉં કે ચોખા અને એક કિલો ચણા ફ્રીમાં અપાશે.
નવેમ્બર સુધી વિના રાશન કાર્ડ મળી શકશે રાશન
કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાનના જણાવ્યા અનુસાર જો કોઈની પાસે રાશન કાર્ડ નથી તો તે પોતાનું આધાર લઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ત્યાર બાદ તેને એક સ્લીપ અપાશે અને તેને બતાવીને તેને ફ્રીમાં અનાજ અપાશે. આ માટે રાજ્ય સરકારની જવાબદારી નક્કી કરાઈ છે. રાજ્ય સરકારો ગરીબોને ફ્રીમાં રાશનનો લાભ નક્કી કરશે.
કેન્દ્ર સરકારના લોકડાઉન લાગૂ કર્યા બાદ આવા લાભાર્થી કે જેમની પાસે રાશન કાર્ડ નથી તેમને પણ ફ્રીમાં રાશન આપવાની જાહેરાત કરાઈ હતી. દિલ્હી સહિત અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ આદેશનું પાલન કરીને ફ્રીમાં રાશન આપવાનું શરૂ કર્યું છે. આ યોજના પહેલાં 3 મહિના માટે લાગૂ કરાઈ હતી. પરંતુ 30 જૂને પીએમ મોદીએ આપેલા સંબોધનમાં આ યોજના નવેમ્બર સુધી વધારવામાં આવી છે. પીએમનું કહેવું છે કે આ યોજનાને નવેમ્બર સુધી લાગૂ કરવામાં 90 હજાર કરોડનો ખર્ચ આવશે. પરંચુ જ્યારથી આ યોજના શરૂ થઈ છે ત્યારથી નવેમ્બર સુધી તેમાં દોઢ લાખ કરોડનો ખર્ચ આવશે તેમ લાગી રહ્યું છે.