આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે કોરોનાની પ્રથમ લહેર બાદ સરકાર અને લોકો બેફિકર થઈ ગયા છે પરંતુ આપણે પોઝિટીવ રહેવું પડશે.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત કોરોના પર બોલ્યાં
મોહન ભાગવતે જણાવ્યું કે આ કસોટીનો સમય છે
આપણે બધાએ ધીરજ જાળવી રાખવી પડશે
પોઝિટિવિટી અનલિમિટેડ કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે જણાવ્યું કે આ કસોટીનો સમય છે અને આપણે બધાએ ધીરજ જાળવી રાખવી પડશે. હાલની પરિસ્થિતિમિાં કોવિડ નેગેટિવ રહેવા માટે સાવધાની રાખવી પડશે. હાલમાં પરિસ્થિતિમાં તર્કહિન નિવેદન ન આપવું જોઈએ. આપણે એકજૂટ રહેવું પડશે અને એક ટીમની જેમ કામ કરવું પડશે.
ડરવાની નહીં પણ, આપણી જાતને તૈયાર રાખવાની જરુર
ભાગવતે આગળ જણાવ્યું કે સફળતા અને નિષ્ફળતા અંતિમ નથી. જારી રાખવાનું સાહસ જરુરી હોય છે. આપણે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કારણ કે સરકાર,પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા. હવે ત્રીજી લહેરની વાત થઈ રહી છે પરંતુ આપણે ડરવાની નહીં પરંતુ પોતાની જાતને તૈયાર રાખવાની જરુર છે.
કોરોના મહામારી માનવતાની સામે મોટો પડકાર
ભાગવતે ઉમેર્યું કે કોરોના મહામારી માનવતાની સામે મોટો પડકાર છે અને ભારતે દાખલો બેસાડવાનો છે. આપણે દોષો કાઢવાને બદલે એક ટીમ તરીકે કાર્ય કરવું જોઈએ. ટીકા ટીપ્પણીઓ તો આપણે પછીથી પણ કરી શકીશું.
ભારતે મહામારી પર સંપૂર્ણ વિજય મેળવવાનો છે
મોહન ભાગવતે જણાવ્યું કે હું બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું એક વિધાન હમેંશા કહું છું. ચર્ચિલ કહેતા કે મારી ઓફિસમાં નિરાશાવાદને કોઈ સ્થાન નથી. અમે પરાજયની સંભાવનામાં જરા પણ ઈચ્છુક નથી. પરાજય તો અસ્તિત્વમાં જ નથી. ભારતે પણ આવી જ રીતે મહામારી પર સંપૂર્ણ વિજય મેળવવાનો છે.