ગુજરાતના ગીર સોમનાથમાં ભૂંકપના આંચકા અનુભવાયો છે. તાલાલાથી 17 કિમી દુર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભયોનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિન્દુ તલાલાથી 17 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટમાં નોંધાયુ છે. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.