કેટલાય યુવક-યુવતીઓને લગ્ન સમયે કેટલીય સમસ્યા નડતી હોય છે. કોઇને કોઇ પ્રકારની અડચણના કારણે લગ્નમાં અડચણ આવતી હોય છે. આવી સમસ્યાથી પરેશાન થયેલા લોકોએ વધુ ચિંતા કરવાની જરૂર નથી. અમે આપને આજે એક એવો ઉપાય જણાવીશું જેના લીધે તમારા જીવનની તમામ સમસ્યાનું સમાધાન થશે.
આપને જણાવી દઇએ કે રાજસ્થાનના અજમેરના સુભાષ ઉદ્યાન નજીક એક પહાડ આવેલ છે. જ્યાં એક મંદિર આવેલ છે. આ જગ્યા ખોબ્રાનાથ શાદી દેવ મંદિર નામથી જાણીતી છે. આ મંદિર સાથે જોડાયેલ એક માન્યતા અનુસાર આ મંદિરમાં સતત સાત દિવસ સુધી દીપક પ્રગટાવીને પૂજા-અર્ચના કરવાથી ઉપાસકની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
આ મંદિર સાથે જોડાયેલ એક માન્યતા અનુસાર લોકો અહીં લગ્ન અંગેની માનતા માને છે અને બાબા ભેરુનાથ તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. લગ્ન સંબંધિત સમસ્યાથી પીડિત લોકો આ તાર્થ સ્થાનની અવશ્ય મુલાકાત લેતા હોય છે અને બાબા ભેરૂનાથ સમક્ષ પોતાની સમસ્યા વ્યક્ત કરે છે. સ્થાનિક ટ્રસ્ટીના જણાવ્યા મુજબ ભગવાન શિવના રૂદ્ર સ્વરૂપને લીધે આ મંદિરનું નિર્માણ થયેલ. બાબા ભેરુનાથ કાયસ્ત સમાજના કુળદેવતા છે.
ઉલ્લેખનીય છે કે કાયસ્ત સમાજના લોકો કાર્તિકી અમાસના દિવસે આ મંદિરના દર્શને અચૂક આવે છે અને ભગવાનની આરાધના કરે છે. આ તીર્થના દર્શને આવતા ભક્તોની તમામ સમસ્યાનો ઉકેલ બાબા ભેરુનાથ લાવે છે.