બ્રાઝીલમાં રહેતી યાનોમામી આદિવાસીઓની એક અજીબ પરંપરા તમને ધૃણા ઉપજાવશે.
બ્રાઝીલની યાનોમામી આદિવાસીઓની અજીબ પરંપરા
મર્યા બાદ નથી દફનાવતા પોતાના ઘરનાને
લાશ કાપીને ખાઈ જાય છે યાનોમામી આદિવાસી
દુનિયામાં માનવોની ઘણી જનજાતિઓ રહે છે, જેના વિશે સામાન્ય દુનિયાના લોકો અજાણ છે. જ્યારે આપણે આમાંથી કેટલીક જનજાતિઓના રિવાજો, પરંપરાઓ અને સંસ્કૃતિથી વાકેફ હોઈએ છીએ, ત્યારે આપણને આશ્ચર્ય થાય છે. તેમની માન્યતાઓ વિશે જાણવા પર ઘણીવાર વિશ્વાસ કરવામાં આવતો નથી. આવી જ એક જનજાતિ છે યાનોમામી.યાનોમામી આદિવાસીઓની અંતિમ સંસ્કારની પ્રથા ખૂબ વિચિત્ર છે.
મર્યા બાદ આવી રીતે કરે છે લાશનો ઉપયોગ
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જનજાતિના લોકો પોતાના લોકોનું માંસ ખાય છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝિલમાં રહેતી આ જનજાતિ એક વિશિષ્ટ પરંપરાને અનુસરે છે. આ પરંપરાને એન્ડો-કેન્નીબાલિઝમ કહેવામાં આવે છે. કબીલામાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે તેઓ ખૂબ જ ભયાનક રીતે અંતિમ સંસ્કાર કરે છે. કોઈના મોત બાદ ઘરના બધા લોકો ભેગા થઈને લાશને પૂરી રીતે સળગાવીને ખાઈ જાય છે. શરીરને બાળ્યા પછી, તેઓ પહેલા તેના ચહેરાને રંગે છે. આ પછી, બધા લોકો સાથે મળીને શબને ખાય છે. સગાના મૃત્યુ બાદ આ લોકો ગીત ગાઈને રડી રડીને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે.
મરનારના આત્માનું કલ્યાણ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય-આદિવાસીઓની માન્યતા
સામાન્ય લોકો અને દુનિયાથી ખૂબ દૂર રહીને કુદરતે ખોળે જીવતા આદિવાસીઓ ખૂબ વિચિત્ર પરંપરા ધરાવે છે.બ્રાઝીલના યાનોમામી આદિવાસીઓ પણ આવી વિચિત્ર પરંપરા ધરાવે છે. પોતાનાની લાશ ખાઈ જવા પાછળ આદિવાસીઓની એવી માન્યતા છે કે આ રીતે મરનારના આત્માનું કલ્યાણ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.