મંદિરમાં દર્શન કરવાથી મનને શાંતિ તો મળે છે સાથે પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. પરંતુ કેટલાક લોકો મંદિરમાં એવી નાની નાની ભૂલો કરી દે છે જેનાથી પુણ્ય ઓછું થઇ જાય છે અને દોષ લાગી જાય છે. આ ભૂલો માટે તમે જાણતા હશો નહીં. પરંતુ ચલો આજે અમે તમને જણાવી છીએ કે મંદિરમાં દર્શન કરતી વખતે કઇ ભૂલો કરવી જોઇએ નહીં.
મંદિરમાં હસવુ જોરથી બોલવું કોઇ પણ પ્રકારનું મનોરંજન કરવું યોગ્ય નથી. કારણ કે લોકોના ધ્યાનમાં અવરોધ થાય છે અને તમને દોષ લાગે છે.
મંદિરમાં જ્યારે કોઇ ભક્ત ભગવાનના દર્શન કરી રહ્યો હોય તો એની આગળથી નિકળવું જોઇએ નહીં અને ઊભા રહેવું જોઇએ નહીં.
કેટલાક લોકો અજ્ઞાનતાના કારણે ઊંધી પરિક્રમા કરી લે છે. હંમેશા પરિક્રમા ડાબી બાજુથી શરૂ થઇને જમણી બાજુ ખતમ કરવી જોઇએ. આ ઉપરાંત શિવલિંગની અડધી પરિક્રમા કરવી જોઇએ.
મંદિરમાં ક્યારેય પણ બેલ્ટ પહેરીને કે ચામડાની ચીજો લઇ જવી જોઇએ નહીં. ચામડાને અશુદ્ધા માનવામાં આવે છે. આવું કરવાથી પાપ લાગે છે.
મંદિરમાં પ્રવેશ કરીને દેવી દેવતાની મૂર્તિની સામે ઊભા રહેવું ખોટું છે. કારણ કે ભગવાનની મૂર્તિથી નિકળનારી ભારે ઊર્જા માનવ શરીર સહન કરી શકતું નથી.