અધિકારીઓએ જણાવ્યું કે નાસભાગમાં 12 લોકોના મોત થયા હતા અને તેમના મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે કટરા બેઝ કેમ્પની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં આ ચાર રાજ્ય દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે
ત્રિકુટા પહાડીઓ પર મંદિરના ગર્ભગૃહની બહાર ગેટ નંબર 3 પાસે નાસભાગ મચી હતી
J&Kના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાશે
#UPDATE: 12 dead in the stampede at Mata Vaishno Devi shrine in Katra. Casualties from Delhi, Haryana, Punjab, and 1 from J&K; more details awaited. Injured being taken to Naraina Hospital after rescue: Gopal Dutt, Block Medical Officer, Community Health Centre pic.twitter.com/5bpPgHlP8Z
વૈષ્ણો દેવીમાં બનેલી દુઘર્ટનામાં માર્યા ગયેલા 12 લોકો ચાર અલગ-અલગ રાજ્યોના રહેવાસી છે
જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા અને 13 ઘાયલ થયા હતા. આ ઘટનામાં માર્યા ગયેલા 12 લોકો ચાર અલગ-અલગ રાજ્યોના રહેવાસી છે. સમાચાર એજન્સી ANI રિપોર્ટ અનુસાર, સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર, ગોપાલ દત્તે જણાવ્યું કે કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા છે. મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લોકોનો સમાવેશ થાય છે.ઘાયલોને બચાવીને નારાયણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
ત્રિકુટા પહાડીઓ પર મંદિરના ગર્ભગૃહની બહાર ગેટ નંબર 3 પાસે નાસભાગ મચી હતી
અધિકારીઓએ જણાવ્યું કે ત્રિકુટા પહાડીઓ પર મંદિરના ગર્ભગૃહની બહાર ગેટ નંબર ત્રણ પાસે નાસભાગ મચી હતી. અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆતના અવસર પર દર્શન આપવા આવેલા ભક્તોની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 12 લોકોના મોત થયા હતા અને તેમના મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે કટરા બેઝ કેમ્પની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 13 વધુ લોકો ઘાયલ થયા છે અને તેમાંથી મોટાભાગના માતા વૈષ્ણો દેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે,
PM Narendra Modi expresses grief over the deaths in stampede at Mata Vaishno Devi Bhawan in Katra, Jammu & Kashmir. pic.twitter.com/W6Rvir1pyM
PM મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કર્યું
આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું- માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. પીએમ મોદીએ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને PMNRF તરફથી દરેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. તે જ સમયે, ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ અકસ્માત પર ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું-માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની દુર્ઘટના દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.
J&Kના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે,આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાશે
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ ઘટના પર નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે આજની નાસભાગની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ સમિતિનું નેતૃત્વ અગ્ર સચિવ (ગૃહ) કરશે, જેમાં એડીજીપી, જમ્મુ અને વિભાગીય કમિશનર, જમ્મુ સભ્યો હશે. સિન્હાએ કહ્યું કે માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગને કારણે થયેલા જાનહાનિથી તેઓ ખૂબ જ દુઃખી છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.