ખેડાના ગોબલજ ગામે બે દિવસ અગાઉ બળીયાદેવ મંદિરે દર્શન કરવા પહોંચેલા દલિત સમાજના લોકોને અન્ય જ્ઞાતિના આગેવાનોએ અટકાવ્યાં.
ખેડાના ગોબલજ ગામે દલિતોને મંદિરમાં પ્રવેશબંધી
બે દિવસ પહેલા બળિયાદેવ મંદિરે બાધા હોવાથી ભક્તો પહોંચ્યા હતા
અન્ય જ્ઞાતિના આગેવાનોએ દલિતોને મંદિરમાં પ્રવેશ કરતા અટકાવ્યા
ફરી પ્રવેશ કરશે તો માર મારવાની આપી ધમકી
ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ
ખેડાના ગોબલજ ગામે દલિતોને મંદિર પ્રવેશ પર પ્રતિબંધ
ખેડાના ગોબલજ ગામમાં બળિયાદેવના મંદિરમાં પ્રવેશને લઈને વિવાદ સામે આવ્યો છે. ખેડાના ગોબલજ ગામે બે દિવસ અગાઉ બળીયાદેવ મંદિરે બાધા અને દર્શન કરવા માટે ગયેલા દલિતોને શખ્સોએ અપમાનિત કરી ધમકી આપી હોવાનો બનાવ ખેડા શહેર પોલીસ મથકે નોંધાયો છે.
ફરી પ્રવેશ કરશો તો માર મારવાની આપી ધમકી
ખેડાના ગોબલેજ ગામના દલિત સમાજના કેટલાક લોકો બળિયાદેવ મંદિરે બાધા પૂરી કરવા ગયા હતાં. આ સમયે અન્ય સમાજના લોકોએ ગામમમાં મીટિંગ કરીને દલિત સમાજના લોકોને મંદિરમાં પ્રવેશ ન કરવાની ધમકી આપી હતી. અને કહ્યું હતું કે, ફરીથી મંદિરમાં પ્રવેશ કરશો તો માર મારવામાં આવશે .
આ ધમકીથી ડરેલા પીડિતોએ ખેડા ટાઉન પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ અંતર્ગત 4લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ ફરિયાદ થતાં જ ધમકી આપનારા શખ્સો ફરાર થઈ ગયા છે.
Vtvના સળગતા સવાલ?
- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના સમયમાં પણ અનુસૂચિત સમાજના લોકો સાથે અન્યાય કેમ?
- આધુનિક યુગમાં અનુસૂચિત સમાજના લોકો સાથે અન્યાય કેમ?
- શા માટે અનુસૂચિત સમાજના લોકોને મંદિરમાં પ્રવેશ નથી અપાતો?
- ક્યાં સુધી અનુસૂચિત સમાજના લોકોએ મુખ્યધારામાં આવવા માટે સંઘર્ષ કરવો પડશે?
- આખરે આ સભ્ય સમાજ અનુસૂચિત સમાજના લોકોને ક્યારે સ્વીકારશે?
- અનુસૂચિત સમાજના લોકોને આખરે ક્યારે ન્યાય મળશે?
- અનુસૂચિત સમાજના લોકોને મુખ્ય ધારામાં ક્યારે લવાશે?
- આવી ગેરબંધારણીય વિચારસરણી વાળા લોકો સામે પગલાં ક્યારે લેવાશે?
- શા માટે આધુનિક સમયમાં પણ અનુસૂચિત સમાજના લોકો સાથે ભેદભાવ થાય છે?
- શા માટે કહેવાતો સભ્ય સમાજ અનુસૂચિત સમાજના લોકોને સ્વીકારી શકતો નથી?
- શું અનુસૂચિત સમાજના લોકોને મંદિરમાં જવાનો હક નથી?
- આ જાતિવાદી લોકોને અનુસૂચિત સમાજના લોકોના મંદિર પ્રવેશ પર આખરે વાંધો શું છે?