વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે એકવાર ફરી ભારતીય જનતા પાર્ટી (BJP) પર હુમલો બોલ્યો છે. દિગ્વિજય સિંહના નિશાને એકવાર ફરી ભગવો અને ભાજપ છે. ભોપાલમાં એક કાર્યક્રમમાં દિગ્વિજય સિંહે કહ્યું કે આજે ભગવો ડ્રેસ પહેરીને લોકો બળાત્કાર કરી રહ્યા છે.
દિગ્વિજય સિંહના નિશાને એકવાર ફરી ભગવો અને ભાજપ
દિગ્વિજય સિંહનો આરોપ, મંદિરોમાં ભગવા ડ્રેસ પહેરીને બળાત્કારની ઘટનાઓ બની રહી છે
CM કમલનાથના સમ્મેલનમાં 1000થી વધુ સાધૂ આવ્યા
દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે, મંદિરોની અંદર ભગવા ડ્રેસ પહેરીને બળાત્કારની ઘટનાઓ બની રહી છે. ભગવા વસ્ત્ર પહેરીને લોકો ચૂર્ણ વેચી રહ્યા છે. આપણા સનાતન ધર્મને જેણે બદનામ કર્યો છે, એમને ઇશ્વર ક્યારેય માફ નહીં કરે.
#WATCH Digvijaya Singh, Congress in Bhopal: Today, people are wearing saffron clothes and raping, rapes are happening inside temples, is this our religion? Those who have defamed our 'Sanatan Dharma', not even god will forgive them. pic.twitter.com/psAQcd1R7p
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહનો ઇશારો પૂર્વ બીજેપી સાંસદ સ્વામી ચિન્મયાનંદ (Swami Chinmayanand) તરફ હતો, જેમની મુશ્કેલીઓ વધી રહી છે. તેમના પર તેમની કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ બ્લેકમેલ કરી વર્ષો સુધી રેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સંતોનું એક સમ્મેલન યોજાયું હતું. આ સમ્મેલનમાં મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે તે નર્મદા અને ધર્મના નામ પર કથિત ભ્રષ્ટાચારની તપાસ કરાવશે. સરકારના નિર્દેશ પર આ સમ્મેલનના કર્તાહર્તા કમ્યૂટર બાબા બન્યા હતા. એમણે દાવો કર્યો હતો કે આ સમ્મેલનમાં પ્રદેશના લગભગ 1000 સંત સામેલ થયા. સમ્મેલનમાં સીએમ કમલનાથ, પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ પણ હાજર રહ્યા હતા.
સંતોને સંબોધન કરતા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું કે, ભગવા પહેરીને લોકો ચૂર્ણ વેચે છે. ભગવા વસ્ત્ર પહેરીને મંદિરમાં બળાત્કાર થઇ રહ્યા છે. આપણા સનાતન ધર્મને જે લોકો બદનામ કર્યો છે એમને ઇશ્વર ક્યારેય માફ નહીં કરે. સમ્મેલનમાં 1000થી વધુ સાધૂ આવ્યા, પરંતુ બીજેપીને નજરે પડ્યું તો મંચ પર કમલનાથના બુટ અને દિગ્વિજય સિંહનું નિવેદન.
જોકે, સમ્મેલનમાં પધારેલા સાધૂ-સંતોને દિગ્વિજય સિંહના નિવેદનમાં કંઇપણ વાંધાજનક નથી લાગ્યું. શ્રી મહંત રામ ગિરિજી મહારાજ, બાબા ડંડાવાલેએ કહ્યું કે તેમા કંઇપણ વાંધાજનક નથી.