લગ્ન એ સાત જન્મોનું બંધન માનવામાં આવે છે અને લોકો પોતાની પસંદના પાત્ર સાથે લગ્ન કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે પરંતુ એક જગ્યા એવી છે જ્યાં મૃત લોકો સાથે લગ્ન થાય છે.
અહીં મરેલા લોકો સાથે થાય છે લગ્ન
લોકો રાષ્ટ્રપતિને કરે છે અરજી
નિયમોનું પાલન કર્યા બાદ થાય છે લગ્ન
તમે કોઇ દિવસ વિચાર્યુ છે કે જો કોઇની મોત થઇ જાય તો તેની સાથે કોઇ લગ્ન કરી શકે, પરંતુ દુનિયામાં એવો પણ દેશ છે જ્યાં મૃત વ્યક્તિ સાથે લોકો લગ્ન કરે છે.
ક્યાં થાય છે આવા લગ્ન
ફ્રાંસમાં આ પ્રકારના લગ્નને લઇને કોઇ રોકટોક નથી. મરેલા લોકો સાથે લગ્ન કરવા માટે પરમિશન આપવામાં આવે છે. જો કે આવા લગ્ન કરવા પાછળ મોટુ કારણ હોવુ જોઇએ અને ફ્રાંસના રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ મળવી જરૂરી હોય છે.
ફ્રાંસના કાયદા અનુસાર 1950ના દશકમાં આવેલ એક કાયદા અનુસાર ફ્રાંસમાં લોકોને કાયદાકીય રીતે મરેલા લોકો સાથે લગ્ન કરવાની અનુમતિ છે. મરણોપરાંત વિવાહ માટે ઇચ્છુક વ્યક્તિએ દેશના રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે.
તસવીર સાથે લગ્ન
લગ્ન દરમિયાન મૃતક મંગેતરની તસવીર સાથે રિવાજ કરવામાં આવે છે. માત્ર આટલુ જ નહી પરંતુ જ્યાં સુધી મોત આપણને અલગ ન કરે ત્યાં સુધી...આ વાક્યનો ઉપયોગ કરવામાં નથી આવતો.
ઘણા નિયમોનું કરવુ પડે છે પાલન
મૃત વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે ઘણા નિયમોના પાલન કરવા પડે છે. રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ આ કાયદો મૃત વ્યક્તિની કોઇ પણ વિરાસતને જીવનસાથી દ્વારા પ્રાપ્ત કરવાની અનુમતિ આપતો નથી. કારણકે માનવામાં આવે છે કે તેમની વચ્ચે કોઇ વૈવાહિક સંપત્તિ મોજુદ નથી.
ફ્રાંસ સરકારને લાખો અરજીઓ આવે છે
મરેલા લોકો સાથે લગ્ન કરવા માટે ફ્રાંસની સરકારને લાખો અરજીઓ દર વર્ષે આવે છે પરંતુ તેમાં તેમને જ મંજૂરી આપવામાં આવે છે જેમના કારણ ખુબ મોટા હોય અને તેઓ સંપૂર્ણ રીતે વૈધાનિક હોય.