માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર આમ તો ઘણા બધા ટ્રેન્ડિંગ વાયરલ થતાં હોય છે. જો કે રવિવારે પીએમ મોદીને લઈને એક સ્પેશિયલ ટ્રેન્ડ ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં લોકો પીએમ મોદી પાસે રોજગાર અપાવવાની પૂરજોર માંગણી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પીએમ મોદીને લોકોએ બેરોજગારી નિવારવા માટે તત્કાળ ઉપાયો કરવા માંગણી કરી હતી.
લોકો માંગી રહ્યા છે પીએમ પાસે રોજગાર
ટ્વિટર પર ટ્રેન્ડ કરે છે #ModijiJobDo
CMIEનો રિપોર્ટ કહે છે દેશમાં ઘણી લુપ્ત થઈ છે નોકરીઓ
કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનને લઈને દેશના અર્થતંત્ર ઉપર બહુ જ ગંભીર અસર થઈ હતી. પહેલાથી જ મંદીનો સામનો કરી રહેલું ભારતીય અર્થતંત્ર રિકવરી માટે પાટા પર ચડવાની જ્યાં હજી તો શરૂઆત થઈ હતી ત્યાં દેશમાં કોરોના ત્રાટક્યો હતો અને તે બાદ લોકડાઉનને લીધે ઘણી આર્થિક ગતિવિધિઓને તાળાં લાગી ગયા હતા. જેના લીધે ઘણા લોકોએ તેમની નિયમિત રોજગારી ગુમાવી દીધી હતી. ખાસ કરીને પગારદાર કર્મચારીઓના મામલે આ સંકટની બહુ ઘેરી અસર થઈ હતી.
કોરોના સંકટ અને લોકડાઉનના લીધે દેશભરમાં લાખો નોકરીઓ સમાપ્ત થઈ ગઈ હતી. Centre for Monitoring Indian Economyએ પણ પોતાની હાલની એક રિપોર્ટમાં સ્વીકાર્યું હતું કે દેશમાં કોવિડ 19 અને લોકડાઉનના લીધે સેલેરીડ કર્મચારીઓને સૌથી મોટું નુકસાન થયું છે. એપ્રિલથી લઈને જુલાઇની વચ્ચે 2.67 કરોડ લોકોએ નોકરી ગુમાવવી પડી હતી.
You are taking exams in this difficult time but after the exam how will you get a job in this time in the country(Government of BJP)?
Youth wants job!!#मोदीजी_जॉब_दो@HansrajMeena@YashMeghwal
એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે,''અમારી શું ભૂલ છે? અમને શા માટે સજા આપવામાં આવી રહી છે? અમને ઘણાં લાંબા સમયથી હરિયાણા સ્ટાફ સિલેકશન કમિશનદ્વારા પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. અમે ઘણું બધું ટ્વિટર ટ્રેન્ડિંગ કરાવ્યુ, પરંતુ HSSC માત્ર ક્લાર્ક ઉમેદવારોની અણદેખી કરી રહ્યું છે.
અન્ય એક ટ્વિટમાં લખેલું હતું કે ''ભારત નોકરી ઈચ્છે છે'' જ્યારે અન્ય બે ટ્વિટમાં લખેલું હતું કે અમને રોજગાર જોઈએ, જુમલા નહીં. અને એકમાં લખ્યું હતું કે તમે જેટલા રોજગાર આપ્યા એનાથી વધુ તો છીનવી લીધા છે''