દેશના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું છે કે દેશમાં એવો માહોલ છે કે લોકો સરકારની ટીકા કરતા ખચકાય છે. કારણ કે લોકોને વિશ્વાસ નથી કે સરકારમાં તેમની ટીકાની પ્રશંસા કરવામાં આવશે. જ્યારે ઉદ્યોગપતિ રાહુલ બજાજ તેમના શબ્દો કહી રહ્યા હતા, ત્યારે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ તેમની સામે હતા. ગૃહમંત્રી અમિત શાહ મુંબઇના ઇકોનોમિક ટાઇમ્સ એવોર્ડમાં ભાગ લઈ રહ્યા હતા.
દેશના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિવેદન
લોકો સરકારની ટીકા કરતા ખચકાય છે
ગૃહ મંત્રીએ આપ્યો રાહુલ બજાજને જવાબ
કાર્યક્રમમાં ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર દ્વારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહેવાની વાત પણ સામે આવી હતી. રાહુલ બજાજે કહ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાને પહેલા ટિકિટ આપવામાં આવી હતી, ત્યારબાદ જ્યારે તે ચૂંટણી જીત્યા અને તેમને સંરક્ષણ સમિતિમાં લેવામાં આવ્યા. આ માહોલ આપણા મનમાં ચોક્કસ છે, પરંતુ કોઈ પણ તેના વિશે બોલશે નહીં.
'People had the freedom to criticize the UPA government but the current regime has created an environment of fear and uncertainty.' - #RahulBajaj speaking truth to power. pic.twitter.com/xJhckhCR6T
રાહુલ બજાજે કહ્યું, "તમે સારા કામો કરી રહ્યા છો તેમ છતાં અમે ખુલ્લેઆમ તમારી આલોચના કરીએ છીએ, વિશ્વાસ નથી કે તમે તેની પ્રસંશા કરશો, કદાચ હું ખોટો પણ હોવ"
ગૃહમંત્રીએ આપ્યો જવાબ
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર રાહુલ બજાજની શંકા મામલે ગૃહ પ્રધાને આ જ મંચ પરથી જવાબ આપ્યો હતો. શાહે કહ્યું કે તેમણે આ વાતને નકારી કાઢી છે કે દેશમાં ભયનો માહોલ છે. તેમણે કહ્યું, "કોઈને કોઈથી ડરવાની જરૂર નથી, મીડિયામાં નરેન્દ્ર મોદી સરકારની સતત ટીકા થઈ રહી છે, પરંતુ જો તમે એમ કહી રહ્યા હોવ કે આવી સ્થિતિ ઉભી થઈ છે, તો આપણે તેને ઠીક કરવાની જરૂર છે. " અમિત શાહે કહ્યું કે અમારી સરકાર પારદર્શક રીતે કામ કરી રહી છે અને જો તેની આલોચના થાય અને તે આલોચનામાં દમ છે તો અમે તેને સુધારવાનો પ્રયાસ કરીશું.
ગૃહમંત્રીએ પ્રજ્ઞા સિંહ ઠાકુર પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપ પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદનની કડક ટીકા કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સ્પષ્ટતા આપી દીધી છે, પાર્ટીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે. આ સાથે જ સરકાર કે પાર્ટી ન તો આવી કોઈ ટિપ્પણીને સમર્થન આપે છે, અમે આ નિવેદનની કડક ટીકા કરીએ છીએ.
પરિવાર સાથે કાશ્મીરની મુલાકાત લેવાની અપીલ
ગૃહમંત્રીએ કાશ્મીરની સ્થિતિ અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે જો તમે કાશ્મીરની સાચી સ્થિતિ જાણવા માંગતા હોય તો તમારે કાશ્મીરની મુલાકાતે જવું જોઈએ. અમિત શાહે કહ્યું, "દેશના ગૃહ પ્રધાન તરીકે, હું તમને અપીલ કરું છું કે કૃપા કરીને કાશ્મીર જાઓ, તમે જાતે જ જોશો કે ત્યાં પરિસ્થિતિ સામાન્ય છે."