ભારતમાં લોકોના જીવાના વર્ષ ઓછા થઇ રહ્યાં છે. જેનું મુખ્ય કારણ પ્રદુષણ છે. આ ખુલાસો અમેરિકાની એક મોટી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે વાયુ પ્રદૂષણના કારણે ભારતના લાકોની આયુષ્યની સંભાવના (Life Expectancy) એટલે કે જીવનનું આયુષ્ય 5.2 વર્ષ ઘટી ગઇ છે. જીવન પ્રત્યાશાને સરળ ભાષામાં આપણે કહી શકીએ છીએ કે મનુષ્યનું સરેરાશ જીવન કેટલા વર્ષનું છે.
શિકાગો યુનિવર્સિટીના ધ એનર્જી પૉલિસી ઇંસ્ટીટયૂટ દ્વારા આ અંગે અધ્યયન કરવામાં આવ્યું છે. જેમાં જણાવામાં આવ્યું છે જે વધારે વાયુ પ્રદૂષણના કારણે ભારતના લોકોના આયુષ્યની સંભાવના ઘણી ઝડપથી ઓછી થઇ રહી છે. બાંગ્લાદેશ પછી ભારત દુનિયામાં બીજો દેશ છે જ્યાં લોકોની ઉંમર ઘટી રહી છે.
આ સ્ટડીમાં જણાવામાં આવ્યું છે કે WHO દ્વારા પ્રદૂષણને લઇને બનાવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ ભારતની સંપૂર્ણ જનસંખ્યા એટલે કે 140 કરોડ લોકો પ્રદૂષણમાં રહે છે. જ્યારે 84 ટકા લોકો ભારતના પોતાના પ્રદૂષણની ગાઇડલાઇન્સ અનુસાર પ્રદુષણમાં જીવન જીવી રહ્યાં છે.
વાયુ પ્રદુષણના કારણે ભારતમાં લોકોની આયુષ્યની સંભાવના 5.2 વર્ષ ઘટી ગઇ છે. જે WHOની ગાઇડલાઇન્સમાં બતાવામાં આવેલી 2.3 વર્ષની ગાઇડલાઇન્સ કરતા બે ગણી છે.
આ અભ્યાસમાં શહેરો મુજબના આંકડા આપવામાં આવ્યાં છે. દેશના પાટનગર દિલ્હી બાદ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સૌથી વધારે પ્રદૂષણ શહેર થઇ ગયું છે. લખનઉમાં લોકોના આયુષ્યની સંભાવના 10.3 વર્ષ ઘટી ગઇ છે. જ્યારે દિલ્હીવાસીઓની 9.4 વર્ષ ઘટી ગઇ છે. જ્યારે WHOની ગાઇડલાઇન્સ મુજબ આયુષ્ય સંભાવના 6.5 વર્ષ હોવી જોઇતી હતી.
ઉત્તર ભારતની પરિસ્થિતિ પ્રદૂષણના કારણે સૌથી વધારે ખરાબ છે. અહી આયુષ્ય સંભાવના ઘટીને 8 વર્ષ થઇ ગઇ છે. કારણ કે આ વિસ્તારમાં પાર્ટિકુલેટ પ્રદૂષણ ઘણું ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 20 વર્ષમાં પાર્ટિકુલેટ પ્રદૂષણ 42 ટકા વધ્યું છે.
રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ભારત સરકાર નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ પ્રદૂષણ ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ કાર્યક્રમનો હેતુ 2024 સુધીમાં પાર્ટીકુલેટ પ્રદૂષણને 20થી 30 ટકા ઘટાડવામાં આવે.