દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તે રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. કોરોના સંક્રમિતોની ગતિ જે રીતે વધી રહી છે તેની સાથે જ લોકો સાજા પણ થઈ રહ્યા છે. મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આનું કારણ એ છે કે પહેલાં સંક્રમિતોનો જે આંક આવી રહ્યો છે તેની સરખામણીએ લોકો ઝડપથી સાજા થઈ રહ્યા છે. હવે આ રિકવરી રેટ પહેલાંની સરખામણીએ ઘણો વધ્યો છે. એમ્સના ડૉ. અજય મોહનના જણાવ્યા અનુસાર જે લોકોમાં બીમારીઓની સામે લડવાની તાકાત હોય છે તેમાં આ બીમારી જાતે જ સુધરી જાય છે. પણ જે લોકો નબળા અને ઉંમરલાયક (45 વર્ષથી વધુ) છે તેમને ખતરો વધારે રહે છે.
દેશમાં વધી રહી છે કોરોના સંક્રમિતોની સંખ્યા
રિકવરી રેટમાં વધારો અને ડેથ રેટમાં થઈ રહ્યો છે ઘટાડો
નબળા અને ઉંમરલાયક વ્યક્તિઓને ઈમ્યુનિટીને કારણે વધુ રહે છે ખતરો
મે મહિનામાં 50 ટકા હતો રિકવરી રેટ
પહેલા મે મહિનામાં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ 50 ટકા સુધી હતો. હવે દેશમાં રિકવરી રેટ 62.09 ટકા થયો છે. તેનો અર્થ એ છે કે દેશમાં સ્થિતિ સુધરી રહી છે. અન્ય એક ચિંતાની વાત એ છે કે દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કોરોનાથી ઝડપથી પ્રભાવિત થઈ રહી છે. મૃત્યુ પામનારાની સંખ્યામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો વધારે છે. દેશમાં 80 વર્ષથી વધારે ઉંમરના અનેક લોકો પણ કોરોનાથી લડીને સ્વસ્થ થયા છએ. જે સંક્રમણમાં એક સકારાત્મક વાત છે.
85 ટકા મૃત્યુ પામનારા 45 વર્ષથી વધુ ઉમરના
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 85 ટકા મૃતકોમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો જોવા મળી રહ્યા છે, કોરોનાની ખરાબ અસર તેમની પર પડી રહી છે. જે લોકો પહેલાથી કોઈ ને કોઈ ગંભીર બીમારીથી પીડિત છે તેમાં હાર્ટ, ડાયાબિટિસ, કિડની, ફેફસાના દર્દીઓ જોવા મળી રહ્યા છે. 45થી વધારે ઉંમરના લોકોમાં હાઈપર ટેન્શન અને ડાયાબિટીસની બીમારી વધારે હોય છે. આ માટે તેમને કોરોનાનો ખતરો વધારે રહે છે.
મોટું કારણ છે ઈમ્યુનિટી
45થી વધુ ઉંમરના લોકોના મોતનું મુખ્ય કારણ તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા પહેલાંથી જ નબળી છે. તેનાથી કોરોનાના કારણે પણ રોગ પ્રતિકારક શકિત નબળી બને છે. એવામાં કોરોના વાયરસના દર્દી શરીરમાં પ્રવેશે છે અને જરૂરી અંગોને નુકસાન કરે છે. આ કારણે વ્યક્તિનું મોત થાય છે.
આ લોકોએ સતર્ક રહેવાની છે જરૂર
જે લોકો પહેલાંથી કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને ખાસ રીતે પોતાનો ખ્યાલ રાખવાની જરૂર છે. 45થી વધુ ઉંમરના લોકોએ ખોરાકમાં વિટામીન સીથી ભરપૂર ડાયટ લેવો અને સાથે ઈમ્યુનિટી વધારવાના પ્રયાસો કરતા રહેવું. આ સિવાય 10 વર્ષથી નાના બાળકોની ઈમ્યુનિટી પણ નબળી હોય છે. આ માટે તેમને પણ ઘરની બહાર ન નીકળવા દેવા જોઈએ. તેમને માસ્ક પહેરાવો અને સાથે જ વારંવાર તેમના હાથ સાબુથી ધોવડાવવા જરૂરી છે. જો ઘરમાં વડીલ છે તો તમે બહારથી આવો તો તેમનાથી અંતર કેળવો તે જરૂરી છે. કોરોનાથી કોઈ પણ પ્રકારના લક્ષણ અનુભવાય તો તરત જ પોતાને ક્વૉરન્ટાઈન કરો. ઘરના સભ્યોથી દૂર રહો. કોરોના ચેકઅપ તરત જ કરાવો તે જરૂરી છે.