કોરોના સંકટ / આ 1 કારણે 45 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને રહે છે કોરોનાનો વધારે ખતરો, રહો સતર્ક

people above the age of 45 years are more prone to coronavirus

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તે રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. કોરોના સંક્રમિતોની ગતિ જે રીતે વધી રહી છે તેની સાથે જ લોકો સાજા પણ થઈ રહ્યા છે. મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આનું કારણ એ છે કે પહેલાં સંક્રમિતોનો જે આંક આવી રહ્યો છે તેની સરખામણીએ લોકો ઝડપથી સાજા થઈ રહ્યા છે. હવે આ રિકવરી રેટ પહેલાંની સરખામણીએ ઘણો વધ્યો છે. એમ્સના ડૉ. અજય મોહનના જણાવ્યા અનુસાર જે લોકોમાં બીમારીઓની સામે લડવાની તાકાત હોય છે તેમાં આ બીમારી જાતે જ સુધરી જાય છે. પણ જે લોકો નબળા અને ઉંમરલાયક (45 વર્ષથી વધુ) છે તેમને ખતરો વધારે રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ