દેશમાં ચાલી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે. કોરોનાને જોતા ચૂંટણી પંચે 65 વર્ષની ઉંમરથી વધુના લોકો પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી શકશે. આની સાથો સાથ કોરોના પોઝિટિવ દર્દી પણ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી શકે છે.
ચૂંટણીને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય
65 વર્ષથી ઉપરના નાગરિકો બેલેટ પેપરથી મતદાન કરી શકશે
બિહાર ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકો બેલેટથી મતદાન કરી શકશે
ચૂંટણી પંચનો આ નિર્ણય ગુજરાતની પેટાચૂંટણી અને બિહારની ચૂંટણીમાં લાગૂ થશે. ગુજરાતમાં 65 વર્ષથી ઉપરના નાગરિકો બેલેટ પેપરથી મતદાન કરી શકશે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓ પણ પેટાચૂંટણીમાં બેલેટથી મતદાન કરી શકશે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ વરિષ્ઠ નાગરિકો બેલેટથી મતદાન કરી શકશે. અગાઉ 80 વર્ષના વરિષ્ઠોને બેલેટથી મતદાન કરવાની મંજૂરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે કોરોના મહામારીમાં મતદાનને લઈને મોટો નિર્ણય કર્યો છે.
જણાવી દઇએ કે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો 65 વર્ષથી વધુની ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કિડનીની બિમારીઓ સહિત જૂની બિમારીથી પીડિત લોકોને વધુ છે. મેડિકલ એક્સપર્ટ અને સરકારે પણ સતત આવા લોકોને બહાર ન નિકળવા માટે કહ્યું છે.
તમને જણાવી દઇએ કે, આ પહેલા પોસ્ટલ બેલેટનો અધિકાર 80 વર્ષ સુધીના વરિષ્ઠો અને દિવ્યાંગોને મળતો હતો. ગત વર્ષ 22 ઓક્ટોબરે કાયદા મંત્રી દ્વારા અધિસૂચના અનુસાર ચૂંટણીમાં મતની ટકાવારી વધારવા માટે 80 વર્ષથી વધુની ઉંમરના દર્દીઓ અને દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવી હતી.