હસ્તરેખા જ્યોતિષ તથા સામુદ્રિક શાસ્ત્ર અનુસાર 6 આંગળી ધરાવતા લોકોને ભાગ્યશાળી માનવામાં આવતા હોય છે. તો કેટલીક હાથના અંગૂઠા સાથે પણ જોડાયેલી રહેતી હોય છે. હાથ સિવાય કેટલાક લોકોને પગમાં પણ 6 આંગળીઓ જોવા મળે છે. જેને પણ શુભ માનવામાં આવે છે. આવા લોકો જેની સાથે રહે છે તેમને ફાયદો થાય છે.
ઉલ્લેખનીય છે કે, જર્મનીની યુનિવર્સિટી ઓફ ફ્રિબર્ગ એન્ડ ઈમ્પીરિયલ કોલેજ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જે વ્યક્તિને હાથ અને પગમાં છ આંગળી હોય તે સામાન્ય વ્યક્તિની સરખાણીમે કામને વધુ સારી રીતે કરી શકે છે. તેઓનું મગજ પાંચ આંગળી ધરાવતા વ્યક્તિની સરખાણીમાં વધારે ઝડપી ચાલે છે. આ સાથે જ તેઓ કામમાં પણ સારું સંતુલન બનાવી રાખશે.
શું હોય છે 6 આંગળીઓ
સંશોધનકર્તાનું કહેવું છે કે, હાથ અથવા પગ પર વધારાની આંગળીઓ હોવું તે કોઇ બિમારી નથી. તેને વિજ્ઞાનની ભાષામાં પોલિડેક્ટિલી તરીકે ઓળવામાં આવે છે. યુનિવર્સિટીના બાયોએન્જીનિયરીંગ વિભાગના પ્રોફેસર એટીને બર્ડેટનું કહેવું છે કે, અમૂમન જન્મજાત હોય છે. પરંતુ કોઇએ આ વાતનો અભ્યા કર્યો નહીં કે તે કેટલાક અર્થમાં ઉપયોગી હોય છે.
સામુદ્રિક શાસ્ત્ર મુજબ
1. જે હાથમાં 1 આંગળી વધારે હોય છે તે લિટલ ફિંગર પાસે છે તો તેના પર બુધ પર્વતનો પ્રભાવ પડશે. આ સિવાય અંગૂઠા સાથે જોડાયેલ આંગળી પર શુક્રનો પ્રભાવ પડશે. હસ્તરેખામાં આવી આંગળી માટે અલગથી કોઇ પર્વતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
2. હસ્તરેખા તથા સામુદ્રિક શાસ્ત્ર મુજબ જે લોકોના હાથમાં 6 આંગળીઓ હોય છે તેવા લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. જે વ્યક્તિની હાથમાં 10થી વધારે આંગળી હોય છે તે વધારે ફાયદો કમાનાર અને કામમાં સંશોધન કરનારા હોય છે.
3. વધારે આંગળીઓ ધરાવતી વ્યક્તિનું મગજ સામાન્ય લોકો કરતા વધારે ઝડપથી ચાલતું હોય છે. આવી વ્યક્તિ કામને ઈમાનદારી અને મહેનતથી કરી જાણ છે. પરંતુ બીજાના કામમાં તેઓ હંમેશા ભૂલો શોધ્યા કરતા રહે છે. એટલા માટે હંમેશા બીજા લોકો સાથે તેના સંબંધ બગડી જાય છે. આવી વ્યક્તિ સારી ટીકાકાર પણ હોય છે.