કેન્દ્રની મોદી સરકાર આવનાર ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઇ છે. એટલા માટે હવે સરકારી કર્મચારીઓને ખુશ કરવા માટે તમામ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. કારણ કે ચૂંટણીના સમય સુધી એ સરકારની સાથે રહી શકે. આવો જ એક આદેશ સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે કર્યો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને રિટાયરમેન્ટના દિવસે જ પેન્શન ચુકવણીનો આદેશ એટલે કે પીપીઓ મળી જશે. એમને મહિનાઓ સુધી એની રાહ જોવી પડશે નહીં.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે એક એવું તંત્ર બનાવવામાં આવ્યું છે જે હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે એમના રિટાયરમેન્ટના દિવસે પેન્શન ચુકવણી આદેશ એટલે પીપીઓ મળી જશે. કેન્દ્રી. મંત્રીએ 'અખિલ ભારતીય પેન્શન અદાલત' નું ઉદ્ધાટન કરતાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપ્યો છે કે પેન્શન ધારીઓની ફરીયાદોના સમાધાન માટે એમને અડચણ વગર પ્રશાસનિક પ્રણાલી ઉપલબ્ધ કરાવવામાં આવે આ ઉપરાંત એમને એવું પણ કહ્યું કે પેન્શન અદાલતો પેન્શનધારીઓની ફરિયાદોની તક પર જ સમાધાન કરવામાં મદદ કરશે. સરકારના વખાણ કરતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે પેન્શનધારીઓની મદદ માટે સરકારે ઘણા સુધારા શરૂ કર્યા છે.
સિંહે કહ્યું કે ભારતમાં રિટાયર્ડ લોકોની સંખ્યા વધી રહી છે અને સકારાત્મક રીતે એમની ઊર્જામાં સાચી દિશા આફવા માટે પગલા ભરવા જોઇએ. સાથે જ એમને એવું પણ કહ્યું કે સક્રિય જીવનથી રિટાયર્ડ જીવનમાં પ્રવેશની પ્રક્રિયા ખૂબ જ સુચારૂ રૂપથી થવી જોઇએ.