સરકારે કેન્દ્ર સરકારના પેન્શન ધારકો માટે જીવન પ્રમાણપત્ર આપવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર કરી છે ત્યારે પેન્શરે જો આ કામ તાત્કાલિક ન કર્યું તો આગામી 31 ડિસેમ્બર બાદ પેન્શન અટકી શકે છે.
કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે હવે કેન્દ્ર સરકારના પેન્શન ધારકો પોતાનું જીવન પ્રમાણ પત્ર 31 ડિસેમ્બર સુધી જમા કરાવી શકે છે. અગાઉ આ તારીખ 30 નવેમ્બર હતી. તેમણે જણાવ્યું કે કોરોના મહામારીની અસરને પગલે સરકારે આ છૂટછાટ આપવાની જાહેરાત કરી છે.
વેબ પોર્ટલ પર કરી શકાશે અપડૅટ
તમે આ કામ જીવન પ્રમાણ પોર્ટલ https://jeevanpramaan.gov.in/ દ્વારા પણ કરી શકો છો. આ માટે તમારે પહેલા પોર્ટલ પરથી જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરવી પડશે. UDAI દ્વારા માન્ય કરાયેલું ફિંગરપ્રિન્ટ ઉપકરણ પણ હોવું જોઈએ. આ પછી, સ્માર્ટફોન દ્વારા ઈમેલ આઈડી અને પરિમાણોનો ઉપયોગ કરીને, એપ્લિકેશનમાં દર્શાવેલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા સબમિટ કરી શકાય છે.
પેન્શનરો 12 જાહેર ક્ષેત્રની બેંકોની ડોરસ્ટેપ બેંકિંગ સેવા એટલે કે ઘરે બેઠા બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. doorstepbanks.com અથવા www.dsb.imfast.co.in/doorstep/login), અથવા 'Doorstep Banking' મોબાઇલ એપ્લિકેશન દ્વારા. આ 12 બેંકોમાં SBI, PNB, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, UCO બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.
ભીડભાડમાંથી પણ મળશે મુક્તિ
રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસેથી પેન્શન લેતા લોકો 31 ડિસેમ્બર સુધી જાતે બેંક શાખાઓમાં જઇ અથવા ડિજીટલ રીતે ઑનલાઈન પ્રણાલી દ્વારા આ પ્રમાણપત્ર જમા કરી શકે છે. તેમણે કહ્યું કે પેન્શનનું વિતરણ કરનારા બેંકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ભીડભાડ ટાળવા માટે તેઓ પોતાની શાખાઓમાં અસરકારક પગલાં ઉઠાવે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નક્કી કરે.