પેન્શનધારકો માટે કામની વાત છે. નક્કી કરેલી ડેડલાઈન મુજબ ચાલુ વર્ષે પણ પેન્શન ધારકોને 28 ફેબ્રુઆરી સુધી પોતાનુ જીવન પ્રમાણપત્ર જમા કરાવવુ જરૂરી છે. જો પેન્શનધારકો આવુ કરતા નથી તો તેનું પેન્શન અટકી જશે. લાઈફ સર્ટીફિકેટ જમા કરાવ્યાં બાદ પેન્શનને આગળ ચાલુ રાખી શકાય છે.
પેન્શન ધારકો 28 ફેબ્રુઆરી સુધી જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે
કોરોનાકાળને ધ્યાનમાં રાખી આ ડેડલાઈનને વધારવામાં આવી
તમે આ પદ્ધતિથી જીવન પ્રમાણપત્ર ઘેર બેઠા જમા કરી શકો છો
હવે તમે 28 ફેબ્રુઆરી 2022 સુધી જમા કરાવી શકશો
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પેન્શનધારકો માટે લાઈફ સર્ટીફિકેટ એટલેકે જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની અંતિમ તિથિ વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરી દીધી છે. જ્યારે દર વર્ષે જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની ડેડલાઈન 30 નવેમ્બર હોય છે. પરંતુ કોરોનાકાળને ધ્યાનમાં રાખીને આ ડેડલાઈનને વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરી દેવામાં આવી હતી. આવો જાણીએ છીએ તમે કેવીરીતે જીવન પ્રમાણપત્ર જમા કરી શકો છો.
ઓનલાઈન પણ આપી શકો છો સર્ટીફિકેટ
તમે જીવન પ્રમાણ પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પર લાઈફ સર્ટીફિકેટ જમા કરી શકો છો. જેના માટે તમારે પહેલા પોર્ટલ પરથી જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરવી પડશે. આ સિવાય UDAI દ્વારા માન્ય ફિંગરપ્રિન્ટ ડિવાઈસ હોવી જોઈએ. ત્યારબાદ સ્માર્ટફોન દ્વારા ઈમેલ આઈડી અને એપમાં બતાવવામાં આવેલી પદ્ધતિથી જીવન પ્રમાણપત્ર ઘેર બેઠા જમા કરી શકો છો. રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસેથી પેન્શન મેળવી રહેલા લોકો 31 ડિસેમ્બર સુધી બેંક શાખાઓમાં જઇને અથવા ડિજીટલ રીતે ઓનલાઈન પ્રણાલી દ્વારા આ પ્રમાણપત્ર જમા કરી શકે છે. તેમણે કહ્યું કે પેન્શનનું વિતરણ કરનારી બેંકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ભીડભાડથી બચવા માટે તેઓ પોતાની શાખાઓમાં યોગ્ય પગલા ઉઠાવે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નક્કી કરે.