પેન્શનધારકો માટે કામની વાત છે. નિર્ધારિત કરેલી ડેડલાઈન મુજબ ચાલુ વર્ષે બધા પેન્શનધારકોને 28 ફેબ્રુઆરી સુધી પોતાનુ જીવન પ્રમાણપત્ર જમા કરાવવુ જરૂરી છે. જો પેન્શનધારકો આવુ નહીં કરે તો તેનુ પેન્શન અટકી જશે.
લાઈફ સર્ટીફિકેટ જમા કરાવ્યાં બાદ પેન્શનને આગળ ચાલુ રાખી શકાય છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે પેન્શનધારકો માટે લાઈફ સર્ટીફિકેટ એટલેકે જીવન પ્રમાણ પત્ર જમા કરાવવાની અંતિમ તારીખને વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરી દીધી છે. જ્યારે દર વર્ષે જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની ડેડલાઈન 30 નવેમ્બર હોય છે. પરંતુ કોરોનાકાળને ધ્યાનમાં રાખીને આ ડેડલાઈનને વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરી દેવામાં આવી હતી. આવો જાણીએ તમે કેવીરીતે જીવન પ્રમાણપત્ર જમા કરી શકો છો.
પોર્ટલ પર કરી શકો છો જમા
તમે જીવન પ્રમાણ પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પર પોતાનુ લાઈફ સર્ટિફિકેટ જમા કરી શકો છો. જેના માટે તમારે પહેલા પોર્ટલ પરથી જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરવી પડશે. આ સિવાય UDAI દ્વારા માન્ય ફિંગરપ્રિન્ટ ડિવાઈસ હોવી જોઈએ. ત્યારબાદ સ્માર્ટફોન દ્વારા ઈમેલ આઈડી અને એપમાં બતાવવામાં આવેલી રીતથી જીવન પ્રમાણપત્ર ઘર બેઠા જમા કરી શકો છો.
ઑનલાઈન પણ આપી શકો છો સર્ટીફિકેટ
રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસેથી પેન્શન પ્રાપ્ત કરી રહેલા લોકો 31 ડિસેમ્બર સુધી બેંક શાખાઓમાં જઇને અથવા ડિજીટલ રીતે ઑનલાઈન પ્રણાલી દ્વારા આ પ્રમાણપત્ર જમા કરી શકો છો. તેમણે કહ્યું કે પેન્શનનું વિતરણ કરનારા બેંકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ભીડભાડથી બચવા માટે પોતાની શાખાઓમાં યોગ્ય પગલા ઉઠાવો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નક્કી કરો.