ગુજરાતમાં કોરોનાની મહામારીમાં જો કોઈને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય તો તે છે સિનિયર સિટિઝન આ સિનિયર સિટિઝન માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પેન્શનરો માટે હયાતીના ફોર્મ ભરાવવાની તારીખ હવે લંબાવવામાં આવી છે.
રાજ્યમાં પેન્શનરો માટે રાહતના સમાચાર
હયાતી પ્રમાણપત્ર માટે તારીખ લંબાવાઈ
હવે 31 ડિસેમ્બર સુધી પ્રમાણપત્ર આપી શકાશે
પેન્શનરને હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવાના નિયમમાં કેન્દ્ર સરકારે છૂટછાટ આપી છે. ત્યારે હવે 31 ડિસેમ્બર સુધી પેન્શનર લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે. કોરોનાને ધ્યાને રાખીને સરકારે વરિષ્ઠ નાગિરકોને રાહત આપી છે.
અગાઉ આ મુદત લંબાવીને 30 નવેમ્બર કરાઈ હતી. સાથે જ સરકારે પેન્શન આપતી સંસ્થાને સૂચન કર્યું છે કે વીડિયો આધારિત ઓળખની સંભાવના ચકાશે. જેથી વીડિયો દ્વારા જ પેન્શેનરની ઓળખ થઈ શકશે અને લાઈફ સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થઈ શકશે.
ગુજરાતમાં પેન્શનરો માટે રાહતના સમાચાર: હયાતી પ્રમાણપત્ર માટે તારીખ લંબાવાઈ, હવે 31 ડિસેમ્બર સુધી પ્રમાણપત્ર આપી શકાશે#gujarat#pension#SeniorCitizens