પેન્શનના લાભાર્થીઓ હવે કોઈ પણ સમયે લાઈફ સર્ટીફિકેટ જમા કરાવી શકે છે જે જમા કરવાની તારીખથી 1 વર્ષ સુધી ચાલે છે.
લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી
જો હજુ સુધી જમા નથી કરાવ્યું તો આ તમારા કામનું છે
આ રીતે ગમે ત્યારે જમા કરાવી શકો છે પ્રમાણ પત્ર
સરકારી પેન્શનર્સ માટે વાર્ષિક જીવન પ્રમાણ પત્ર અથવા જીવન પ્રમાણ પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. જોકે કર્મચારી પેન્શન યોજના, 1995 હેઠળ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનથી (EPFO) પેન્શન લેનાર પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ માટે જીવન પ્રમાણ પત્ર જમા કરવાની છેલ્લી તારીખ અલગ છે. ઈપીએફઓ એ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી.
EPFOએ પોતાના ઓફિશયલ ટ્વીટર હેન્ડલ પર કહ્યું, EPS’95 પેન્શનર્સ હવે કોઈ પણ સમયે જીવન પ્રમાણ પત્ર જમા કરાવી શકે છે જે જમા કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ માટે માન્ય ગણાશે. ડિસેમ્બર 2019માં ઈપીએફઓએ પેન્શનર્સ દ્વારા જીવન પ્રમાણપત્રને જમા કરવાના નિયમોમાં આ ફેરફાર કર્યા હતા.
કર્મચારી પેન્શન સ્કીમ, 1995 દ્વારા દરેક વર્ષ નવેમ્બર મહિનામાં લાઈફ સર્ટિફિકેટ અથવા જીવન પ્રમાણ પત્ર રજૂ કરવાને અંતિમ જીવન પ્રમાણ પત્ર જમા કરવાની છેલ્લી તારીખથી એક વર્ષ પછી જીવન પ્રમાણ/જીવન પ્રમાણ સબમિટ કરવાની સિસ્ટમ દ્વારા બદલી શકાય છે.
આમ ન કરવા પર રોકાઈ જશે પેન્શન
EPFOએ ડિસેમ્બર 2019માં એક સર્કુલરમાં કહ્યું હતું. પેન્શનર્સને આવનાર વર્ષ દરમિયાન આ મહિનામાં લાઈફ સર્ટિફિકેટ/ જીવન પ્રમાણ જમા કરવાનું રહેશે. આમ ન કરવા પર આવતા મહિનાથી પેન્શન રોકી દેવામાં આવશે.
આ નિયમ અનુસાર, જો કોઈ ઈપીએસ પેન્શનર ગયા વર્ષે 15 ડિસેમ્બર, 2020એ પોતાનું લાઈફ સર્ટીફિકેટ જમા કરાવશે તો તેને આ વર્ષે 15 ડિસેમ્બર 2021એ અથવા તે પહેલા તેને જમા કરાવવાનું રહેશે. આમ ન કરવા પર તેમનું પેન્શન રોકી દેવામાં આવશે.
પેન્શનર્સને પેન્શન આપવાનું ચાલું રાખવા માટે દર વર્ષે સમય મર્યાદા પહેલા પોતાના વાર્ષિક જીવન પ્રમાણ પત્રને જમા કરાવવું જરૂરી છે. જો તે છેલ્લી તારીખ પહેલા જમા નહીં કરે તો તેને આવતા વર્ષથી પેન્શન નહીં મળે.
ઓનલાઈન પણ જમા કરાવી શકો છો લાઈફ સર્ટિફિકેટ
જો તને ઘરે બેઠા ઓનલાઈન લાઈફ સર્ટિકિકેટ જમા કરવા માંગો છો તો તેના માટે જીવન પ્રમાણનું પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પર વિઝિટ કરવાનું રહેશે. તમે જીવન પ્રમાણ એપ પણ ડાઉનલોડ કરી શકે છે. જો કે આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે UIDAI મેન્ડટ ડિવાઈઝની જરૂર હોય છે. ફિંગર પ્રિન્ટ સ્કેનરની મદદથી આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને પુરી કરવા સમયે આધાર કાર્ડ પોતાની પાસે રાખો.
બેન્ક બ્રાન્ચ જઈને લાઈફ સર્ટિફિકેટ જમા કરી શકાય છે
ઓફલાઈન પણ જીવન પ્રમાણ પત્ર જમા કરી કરવામાં આવી શકે છે. તમારૂ પેન્શન જે પણ બેન્કમાં જમા થાય છે ત્યાં જઈને લાઈફ સર્ટીફિકેટનું ફોર્મ ભરવાનું રહેશે. સાથે જ આધાર કાર્ડ અને પાન કાર્ડની કોપી એટેચ કરવાની રહશે. ફોર્મ ભર્યા બાદ તેને જમા કરવાનું રહેશે.
ડોર સ્ટેપ બેન્કિંગની મદદથી
ડોર સ્ટેપ બેન્કિંગની મદદથી પણ લાઈફ સર્ટિફિકેટને જમા કરી શકાય છે. DSB એટલે કે ડોર સ્ટેપ બેન્કિંગ 12 પબ્લિક સેક્ટર બેન્કનું અલાયન્સ છે. તેમાં SBI, PNB સહિત અન્ય સરકારી બેન્ક છે. પલ્બિક સેક્ટર બેન્કોના અલાયન્સે DSBની મદદથી ઘરેથી લાઈફ સર્ટિફિકેટ કલેક્ટ કરવાની સુવિધાને શરૂ કરી છે. Doorstep Bankingની મોબાઈલ એપ પણ હોય છે. તેનું વેબસાઈટ આઈડી https://doorstepbanks.com/ છે. કસ્ટમર કેર પર વાત કરવા માટે ટોલ ફ્રી નંબર 18001213721 or 18001037188 છે. ડોર સ્ટેપ બેન્કિંગમાં દરેક સર્વિસ માટે ચાર્જ આપવાનો હોય છે.