પૂર્વ સૈનિકોના પેન્શનને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હોવાની વિગતો લોકસભામાં જણાવી હતી.
કેન્દ્ર સરકારે વન રેંક, વન પેન્શન અંતર્ગત લોકસભામાં આપી જાણકારી
એક જૂલાઈ 2019થી તેને પ્રભાવી માનવામાં આવશે
સુપ્રીમ કોર્ટના આદેશનો પણ કર્યો ઉલ્લેખ
કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું છે કે, વન રેંક, વન પેન્શન અંતર્ગત પૂર્વ સૈનિકો માટે પેન્શનમાં સંશોધનની પ્રક્રિયા ચાલી રહી છે. રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે શુક્રવારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ પ્રકારની જાણકારી આપી હતી. ભટ્ટે કહ્યું કે, ઓઆરઓપી અંતર્ગત પેન્શનનું પુનરીક્ષણ થઈ રહ્યું છે અને એક જૂલાઈ 2019થી પ્રભાવી માનવામાં આવશે. તેમણે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના એક આદેશનો પણ ઉલ્લેખ કર્યો.
કેન્દ્ર સરકારે ઓઆરઓપીને લાગૂ કરવાની ઘોષણ કરતા 2015માં નોટિફિકેશન જાહેર કર્યું હતું. તેમાં દર પાંચ વર્ષ પર પેન્શનની સમીક્ષા કરવાની જોગવાઈ હતી.
આપને જણાવી દઈએ કે, ઓઆરઓપીને લાગૂ કરવું 2013માં ભાજપ દ્વારા કરવામાં આવેલ ચૂંટણી પૂર્વનો વાયદો હતો. સરકારે નવેમ્બર 2015માં હાલની ઓઆરઓપી યોજનાને નોટિફાઈ કર્યું હતું અને તેને 1 જૂલાઈ 2014થી લાગૂ કરવામાં આવ્યું હતું. જો કે, 2019માં તેને સંશોધન કરવાનું હતું, જે થઈ શક્યુ નહીં.
તો વળી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર દ્વારા 2015માં અપનાવવામાં આવેલા વન રેંક-વન પેન્શન સિદ્ધાંતને ચાલુ રાખવાના નિર્ણયના સંબંધમાં દાખલ થયેલી ફેરવિચારણા અરજી રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે, આ નિર્ણયમાં ન તો કોઈ સંવૈધાનિક કમી છે, ન તો તે મનમાની છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની પીઠે કહ્યું કે, પુનર્વિચાર અરજીમાં કોઈ દમ નથી.
પીઠે કહ્યું કે, ખુલી કોર્ટમાં સમીક્ષાની અરજીને સૂચીબદ્ધ કરવાનો આગ્રહ રદ થાય છે. અમે પુનર્વિચાર અરજી અને તેની સાથે જોડાયેલ દસ્તાવેજોને ધ્યાનથી જોયા છે. સમીક્ષા અરજીમાં કોઈ દમ નથી. કોર્ટે કેન્દ્ર દ્વારા અપનાવવામાં આવેલા વન રેંક-વન પેન્શન સિદ્ધાંતને 16 માર્ચના રોજના નિર્ણયને યથાવત રાખ્યો હતો.