ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. બાલાકોટ એરસ્ટ્રાઈક અને બાદમાં જમ્મૂ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ પાકિસ્તાન ઉશ્કેરાયું છે. ત્યારે ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાને વધુ એક નિર્ણય લીધો છે.
ભારત-પાક વચ્ચેના તણાવ વચ્ચે વધુ એક નિર્ણય
પાકે ભારતના ટીવી કન્ટેન્ટ પર મૂક્યો પ્રતિબંધ
ભારતીય કન્ટેન્ટથી દૂર રહેવાનો અપાયો આદેશ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી ઈસ્લામાબાદે 8 ઓગસ્ટના રોજ એક સરક્યુલર જાહેર કર્યો છે. ટીવી ચેનલોને ભારતીય કન્ટેન્ટથી દૂર રહેવા માટે આ સરક્યુલરમાં સૂચના છે. પાકિસ્તાનની ટીવી ચેનલો પર ભારતીયોને ના લાવવા માટે પણ સૂચના છે. ભારતીય પત્રકાર કે વિશ્લેષકોને ટીવી પર ના લાવવા માટે સૂચના આપવામાં આવી છે.
પહેલા માર્ચ-2019 માં સ્થાનિક ચેનલ પર લાદવામાં આવ્યો હતો પ્રતિબંધ
ચાલુ વર્ષે આ બીજી વખત બન્યું છે જ્યારે પાકિસ્તાનમાં ભારતીય ટીવી ચેનલો પર પાબંધી લગાડવામાં આવી છે. આ પહેલા માર્ચ 2019 માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સ્થાનિક ચેનલો પર ભારતીય ફિલ્મ અને ટીવી શોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
ભારત-પાક વચ્ચેના તણાવને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
આ આદેશ પુલવામામાં આતંકી હુમલા બાદ બંન્ને દેશો વચ્ચે વધેલા તણાવને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે. ન્યાયમૂર્તિ ગુલઝાર અહમદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ ન્યાયાલયની 3 સભ્યોની પીઠ દ્વારા પાકિસ્તાની ટીવી ચેનલો પર ભારતીય કાર્યક્રમના પ્રસારણ સાથે જોડાયેલ મામલે સુનાવણી કરી હતી અને આદેશ પણ આપ્યો હતો.